Gujarat
જામનગરની એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે એન.એસ.યુ.આઈ ની રજૂઆત
By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021

જામનગર તા ૨,
જામનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા બાબતે એનએસયુઆઇ દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરી છે અને ઓછા એડમિશન આપી વિદ્યાર્થીઓને અન્ય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
જામનગરની એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ માટે ૫૭૨ વિદ્યાર્થીઓને એડમિશન આપવાના થાય છે, જેની જગ્યાએ ઓછા વિદ્યાર્થીઓને એડમિશન અપાયા છે. જે મામલે આજે એનએસયુઆઇ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, અને એડમિશન બાબતે વિદ્યાર્થીઓને થઇ રહેલા અન્યાય બાબતે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે.




