Jamnagar

જામનગર શહેરમાં મનપાની આરોગ્યશાખાની તપાસણી દરમિયાન તાવના 229-ઝાડા ઉલટીના 85 કેસો મળી આવ્યા

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર કોર્પોરેશનના મેલેરિયા વિભાગે 13 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા વિરોધી ઝુંબેશ ચલાવી હતી. 233 ટીમોએ 97,244 ઘરોનો સર્વે કરતાં 1935 ઘરોમાં મચ્છરના પોરા મળ્યા. 4,72,507 પાણીના પાત્રો તપાસતા 2088માં પોરા મળ્યા. તંત્રએ 2184 પાત્રોનો નાશ કરી 45,812 પાત્રોમાં દવા નાખી. આ ઝુંબેશમાં તાવના 229 અને ઝાડા-ઉલટીના 85 કેસ નોંધાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં મનપાની આરોગ્યશાખાની તપાસણી દરમિયાન તાવના 229-ઝાડા ઉલટીના 85 કેસો મળી આવ્યા

Jamnagar Corporation : જામનગર મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા હેઠળના મેલેરીયા વિભાગે 13 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં કરેલી મચ્છરજન્ય રોગચાળા વિરોધી કરેલી ઝુંબેશ દરમિયાન તંત્રની ટીમોને તાવના ફ્લૂ અને ઝાડા-ઉલટીના 85 કેસો મળી આવ્યા છે. તેમજ તંત્રની ટીમોએ મચ્છરોની ઉત્પત્તિ થતાં પહેલા જ નાથવાની કામગીરી પણ કરી હતી. તંત્રની 233 ટીમોએ 97,244 ઘરોનો સર્વે કર્યો હતો. જેમાં 1935 ઘરોમાં મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી. આ ઉપરાંત ટીમો દ્વારા પાણી ભરવાના કુલ 4,72,507 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આવા પાત્રોમાંથી 2088 પાત્રોમાં પણ મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી.
તેથી તંત્રએ આ પાત્રો ઉપરાંતના અન્ય મળીને 2184 પાત્રોનો નાશ કરાવ્યો હતો. ઉપરાંત કુલ 45,812 પાત્રોમાં મચ્છર વિરોધી દવા નાંખી હતી. આ તપાસ દરમિયાન તાવના 229 કેસો અને ઝાડા-ઉલટીના 85 કેસો મળી આવ્યા હતા.