World

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે અચાનક લીધો મોટો નિર્ણય, ચીન ખુશખુશાલ પણ મિડલ ઈસ્ટમાં ટેન્શન

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાંથી પોતાનું USS જ્યોર્જ વોશિંગ્ટન યુદ્ધપોત હટાવી લીધું છે. આ યુદ્ધપોત મિડિલ ઇસ્ટમાં લાંબા સમયથી તૈનાત USS અબ્રાહમ લિંકનની જગ્યા લેશે. ઈરાન સાથેના તણાવ અને સૈન્ય અભિયાનોના કારણે અમેરિકન નૌકાદળ પર દબાણ વધ્યું છે, જેના કારણે સૈનિકોના માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ જહાજ ખસી જવાથી જાપાન અને ફિલિપાઇન્સ જેવા સહયોગી દેશોમાં ચિંતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે અચાનક લીધો મોટો નિર્ણય, ચીન ખુશખુશાલ પણ મિડલ ઈસ્ટમાં ટેન્શન

US Navy aircraft carrier West Pacific : અમેરિકા દ્વારા પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાંથી પોતાનું મહત્વપૂર્ણ વિમાનવાહક યુદ્ધપોત USS જ્યોર્જ વોશિંગ્ટન હટાવી લેવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ મિડિલ ઇસ્ટમાં લાંબા સમયથી તૈનાત USS અબ્રાહમ લિંકનની જગ્યા લેશે. ઈરાન સાથેના તણાવ અને સૈન્ય અભિયાનોના કારણે અમેરિકન નૌકાદળ પર ભારે દબાણ વધ્યું છે, જેના કારણે સૈનિકોના માનસિક સ્વાસ્થ્ય અને પુરવઠાને લગતી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. પ્રશાંત ક્ષેત્રમાંથી આ જહાજ ખસી જવાથી જાપાન અને ફિલિપાઇન્સ જેવા સહયોગી દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

મિડિલ ઇસ્ટમાં લાંબી તૈનાત અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ

USS અબ્રાહમ લિંકનની વાપસી મે મહિનામાં જ નક્કી હતી, પરંતુ ઈરાન વિરુદ્ધના અભિયાનોને કારણે તેની તહેનાતી લંબાવવામાં આવી હતી. આ જહાજે સતત સમુદ્રમાં 240 કરતા વધુ દિવસો વિતાવ્યા છે, જેને કારણે ડેમોક્રેટિક સાંસદોએ જહાજ પર રહેવાની પરિસ્થિતિઓ અને તણાવની તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં સૈન્ય અભિયાનો માટે વિમાનવાહક જહાજો પર ભારે નિર્ભરતા જોવા મળી રહી છે. અગાઉ USS જેરાલ્ડ આર ફોર્ડ પણ 11 મહિનાની લાંબી તહેનાતી પછી પરત ફર્યું હતું, જે વિયેતનામ યુદ્ધ પછીની સૌથી લાંબી તહેનાતી હતી.

ચીનને મળ્યું શક્તિ પ્રદર્શન કરવાની મોકળાશ

અમેરિકન વિમાનવાહક જહાજની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ચીન પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં પોતાના પ્રભાવનો પ્રચાર કરી રહ્યું છે. ચીન એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે કે પશ્ચિમ પ્રશાંતમાં અમેરિકા હવે પહેલે જેવી મોટી તાકાત નથી રહ્યું અને તે સહયોગીઓની સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. ચીને તાજેતરમાં ઇન્ડોનેશિયા સાથે નૌસૈનિક અભ્યાસ કર્યો છે તેમજ જાપાન અને ફિલિપાઇન્સ સાથેના વિવાદિત ક્ષેત્રોમાં પણ આક્રમકતા વધારી છે. ફિલિપાઇન્સના દાવાવાળા સ્કારબોરો શોલ પાસે પણ ચીને સૈન્ય અભ્યાસ કર્યો છે.

શિપયાર્ડમાં મેન્ટેનન્સનું સંકટ અને ભવિષ્યની રણનીતિ

સતત લાંબી તૈનાતના કારણે આ વિશાળ જહાજોની મરામત દેશના માત્ર બે જ શિપયાર્ડમાં જ થઇ શકે તેમ છે. સંશોધકોનું માનવું છે કે નાવિકોને પૂરતો આરામ ન મળવાથી તેમની શારીરિક અને માનસિક કાર્યક્ષમતા ઘટી રહી છે. આધુનિક યુદ્ધના બદલાતા દોરમાં મોટા વિમાનવાહક જહાજોને ડ્રોન અને મિસાઇલોથી સરળતાથી નિશાન બનાવી શકાતા હોવાથી, તેની જગ્યાએ નાના જહાજો અને સબમરીનના ઉપયોગની ભલામણ પણ કરવામાં આવી રહી છે. નૌકાદળના ઉચ્ચ અધિકારીઓએ પણ મોટા વિમાનવાહક જહાજો પરની અત્યંત નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂક્યો છે.