Get The App

પાકિસ્તાની સૈન્ય પ્રમુખ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- 'દુશ્મનોના દુ:સાહસનું પરિણામ ઘાતક આવશે'

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
India Pakistan Relations
(IMAGE - IANS)

India Pakistan Relations: પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ત્યાંના સૈન્ય વડા ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે.

આંતરિક કંગાળી વચ્ચે પાકિસ્તાની સૈન્ય વડાની ભારતને ગીધડધમકી

પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ આસીમ મુનીરે પોતાના દેશની બદહાલી અને આર્થિક તંગીથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યા સૂરમાં જણાવ્યું કે, જો ભવિષ્યમાં 'દુશ્મનો' દ્વારા કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરવામાં આવશે, તો આ વખતે યુદ્ધની અસર મર્યાદિત નહીં રહે, પરંતુ તેના પરિણામો અત્યંત ખતરનાક અને પીડાદાયક હશે.

'યુદ્ધ હવે સીમાઓ સુધી મર્યાદિત નહીં રહે': આસીમ મુનીર

ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની ફીલ્ડ માર્શલે સૈન્યની તાકાતના વખાણ કરતા ભારતને આડકતરી રીતે ચેતવણી આપી હતી. તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતાની સુરક્ષા કરવા માટે પૂરેપૂરું સક્ષમ છે અને જો ભવિષ્યમાં કોઈ પણ દેશ હુમલો કરવાની હિંમત કરશે, તો યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો વ્યાપ ઘણો મોટો હશે. જોકે તેમણે પોતાના ભાષણમાં સીધું ભારતનું નામ લીધું નહોતું, પરંતુ તેમની આ વાતોનો સ્પષ્ટ ઈશારો ભારત તરફ જ હતો.

રાષ્ટ્રવાદના નામે જનતાને ગેરમાર્ગે દોરવાની જૂની વ્યૂહનીતિ

નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન જ્યારે પણ આર્થિક રીતે પાયમાલ થાય છે, ત્યારે તે રાષ્ટ્રવાદના નામે પોતાની જનતાને એકજૂથ કરવા માટે આવી વ્યૂહનીતિ અપનાવે છે. 'દૂરગામી અને પીડાદાયક' પરિણામોની વાત કરવી એ પાકિસ્તાનની જૂની આદત છે. પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટમાં હોવા છતાં, પ્રાદેશિક સ્થિરતા જોખમાય તેવા ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યું છે.

આ પણ વાંચો: 'હવે ઈરાનનું હાસ્ય બંધ થશે...' ટ્રમ્પની નવી ધમકી, ઓબામા-બાઈડેન ઉપર પણ વરસ્યાં

પ્રાદેશિક શાંતિ પર ખતરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પહેલેથી જ તણાવ છે, ત્યારે પાકિસ્તાની સૈન્ય વડાનું આ પ્રકારનું નિવેદન સ્થિતિને વધુ બગાડી શકે છે. જાહેર મંચ પરથી આપવામાં આવતી આવી ધમકીઓ દક્ષિણ એશિયાની શાંતિ અને સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતોના મતે, આસીમ મુનીરનું આ નિવેદન માત્ર પોતાની સેનાનું મનોબળ વધારવા અને ઘરઆંગણે ઊભા થયેલા વિરોધને દબાવવાનો એક પ્રયાસ માત્ર છે.