Get The App

બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહેલું માલદિવ્સ કેવી રીતે બન્યું ઈસ્લામિક રાષ્ટ્ર? સેંકડો વર્ષ જૂનો છે ઈતિહાસ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહેલું માલદિવ્સ કેવી રીતે બન્યું ઈસ્લામિક રાષ્ટ્ર? સેંકડો વર્ષ જૂનો છે ઈતિહાસ 1 - image


Maldives Islam and Buddhism Religion History : માલદીવમાં રબી ઉલ આખિરની બીજી તારીખે ઈસ્લામ ધર્મ અપનાવવાની 896મી વર્ષગાઠ ઉજવાઈ રહી છે. દેશના ઈતિહાસની વાત કરીએ તો ઈસ્લામનો સ્વીકાર એક ઐતિહાસિક ઘટના હતી, જેણે દેશની સંસ્કૃતિ, સમાજ અને રાજકીય માળખાને કાયમ માટે બદલી નાખ્યું. આ ઘટનાની વર્ષગાંઠ માલદીવમાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. દેશમાં ઈસ્લામ ધર્મ પહેલા બૌદ્ધ ધર્મમાં માનનારાઓની સંખ્યા વધુ હતી, તેથી ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થતો હતો. માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ માલદીવમાં ઈસા પૂર્વ ત્રીજી સદીમાં આવ્યો હતો. માલદીવમાં ઈસ્લામનો પ્રચાર અને સ્વીકાર 12મી સદીમાં થયો હોવાનું પણ મનાય છે. પરંપરાગત રીતે, માલદીવના લોકો પહેલા હિંદુ ધર્મ પાળતા હતા અને ત્યારબાદ બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો. બારમી સદીમાં આરબ વેપારીઓના આગમન અને તેમના ધાર્મિક ઉપદેશોને કારણે ઈસ્લામનો પ્રસાર થયો.

માલદીવનો ઈસ્લામ ધર્મ અપનાવવાનો ઈતિહાસ

માલદીવના ઈતિહાસ અનુસાર તત્કાલીન બૌદ્ધ રાજા ધોવેમી કલામિંજા સિરી થિરિબુવાના-આદિત્થા મહા રાદુ (જેમને બાદમાં સુલતાન મુહમ્મદ અલ-આદિલ તરીકે ઓળખવામાં આવ્યા) એ ઈસ્લામ ધર્મ અપનાવ્યો. આ ઘટના હિજરી વર્ષ 548ના બે રબી અલ-અવ્વલના રોજ બની હતી. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ તારીખ 1153 કે 1193 આસપાસની માનવામાં આવે છે. આ ઘટનાની યાદમાં, માલદીવ દર વર્ષે ઈસ્લામ ધર્મના સ્વીકારની વર્ષગાંઠ ઉજવે છે. આ દિવસને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વર્ષગાંઠ પર મસ્જિદોમાં વિશેષ પ્રાર્થનાઓ, ધાર્મિક પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો : થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટ

ઈસ્લામ ધર્મ અપનાવવાની દંતકથા

માલદીવમાં ઈસ્લામના પ્રસાર પાછળ ઘણી દંતકથાઓ અને ઐતિહાસિક કથાઓ પ્રચલિત છે. તેમાં સૌથી પ્રખ્યાત વાર્તા અબુ અલ-બરાકાત યુસુફ અલ-બરબરી નામના એક મોરક્કન વિદ્વાનની છે. દંતકથા અનુસાર, આ વિદ્વાન માલદીવ આવ્યા અને તેમણે સ્થાનિક બૌદ્ધ રાજાને એક દરિયાઈ રાક્ષસ (રનમારી)થી મુક્ત કરાવ્યા હતા, જે દર મહિને એક કન્યાનું બલિદાન માંગતો હતો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને રાજાએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ત્યારબાદ તેની પ્રજાએ પણ ઈસ્લામ સ્વીકાર્યો.

ઈસ્લામ સ્વીકારના અન્ય કારણો

માલદીવ હિંદ મહાસાગરમાં વેપાર માર્ગો પર આવેલું છે, તેથી અહીં આરબ વેપારીઓની નિયમિતપણે અવરજવર હતી. આ વેપારીઓ દ્વારા ઈસ્લામના સિદ્ધાંતોનો પ્રચાર કરાયો હતો. કેટલાક ઈતિહાસકારો માને છે કે ઈસ્લામ અપનાવવાથી રાજાને ક્ષેત્રીય શક્તિઓ સાથે સારા સંબંધો બનાવવામાં અને વેપાર વધારવામાં મદદ મળી હશે. ઈસ્લામના સરળ અને સમાનતાવાદી સિદ્ધાંતોએ સ્થાનિક વસ્તીને આકર્ષિત કરી હોઈ શકે છે. આજે, માલદીવ એક સંપૂર્ણ ઈસ્લામિક રાષ્ટ્ર છે, જ્યાં 100% વસ્તી સુન્ની મુસ્લિમ છે. દેશના કાયદા અને બંધારણ ઈસ્લામિક સિદ્ધાંતો પર આધારિત છે. આ વર્ષગાંઠ માલદીવની ઈસ્લામિક ઓળખ અને ઈતિહાસનું પ્રતીક છે. જોકે આજે પણ માલદીવના ઘણા ટાપુઓ પર બૌદ્ધ સ્તૂપ અને મઠોના અવશેષો મળી આવે છે, જે તે સમયની ધાર્મિક માન્યતાઓની ઝલક આપે છે.

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે', CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન

બૌદ્ધ વસ્તી ધરાવતા માલદીવમાં મુસ્લિમો વધી ગયા

સુન્ની બહુમતી ધરાવતા માલદીવ વિશે અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, આ વધુ ઉગ્રવાદ ધરાવતો દેશ છે અને ત્યાં લોકોનું આતંકવાદીઓ (Terrorist) પ્રત્યે નરમ વલણ છે અને તે બાબત ઘણી હદે સાચી છે. એક સમયે બૌદ્ધ વસ્તી ધરાવતો આ દેશ મુસ્લિમ (Muslim) વસ્તીમાં બદલાઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે, અહીં નૉન-મુસ્લિમોને નાગરિકતા અપાતી નથી. ઇતિહાસકારોનું માનવું છે કે, માલદીવના શાસક ભારતના ચોલ સામ્રાજ્યના હતા. જોકે તે સમયે આ દેશ કેવી રીતે આખો ઈસ્લામિક દેશ બની ગયો? ભારતીય શાસક માલદીવ સુધી કેવી રીતે પહોંચ્યા, આ બાબતે જુદાં-જુદાં મતમતાંતર છે.

ઈતિહાસકારો શું માની રહ્યા છે?

મોટાભાગના ઈતિહાસકારોનું માનવું છે કે, ચોલ સામ્રાજ્ય પહેલા એટલે કે 9મી સદીમાં કલિંગ રાજા બ્રહ્મદિત્યનું શાસન હતું. ત્યારબાદ ચોલ વંશ રાજાશાહી લગ્નો દ્વારા ત્યાં પહોંચ્યા હતા. 11મી સદીમાં માલદીવ પર મહાબર્ણા અદિતેયનું શાસન હતું, જેના પુરાવાઓ હજુ પણ શિલાલેખો પર જોવા મળે છે.

આ પણ વાંચો : ‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત...’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્રહાર

છેવટે બૌદ્ધ રાજાએ પણ ઈસ્લામ અપનાવ્યો

ઈ.સ.પૂર્વ ત્રીજી સદીમાં માલદીવમાં મોટાભાગે બૌદ્ધ વસ્તી હતી. હિન્દૂ રાજાઓ આવ્યા બાદ બંને ધર્મ એક સાથે વધતા ગયા. હાલ ત્યાંના 50થી વધુ ટાપુઓ પર બૌદ્ધ સ્મારકો છે, પરંતુ તેમાંથી મોટાભાગના નષ્ટ થઈ ગયા છે અથવા તો તોડી દેવામાં આવ્યા છે. છેલ્લા બૌદ્ધ રાજા ધોવેમીએ વર્ષ 1153માં ઈસ્લામ ધર્મ અપનાવી લીધો અને તેમનું નામ પડ્યું - મુહમ્મદ ઈબ્ન અબ્દુલ્લા...

ધર્મપરિવર્તન અંગે પુસ્તકમાં ઉલ્લેખ

વાસ્તવમાં આ ટાપુ દેશમાં લાંબા સમયથી વેપારીઓની અવર-જવર રહેતી હતી. શરૂઆતમાં વાત માત્ર વેપાર સુધી હતી, પરંતુ ધીમે ધીમે તેઓ પોતાના ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. રાજાના ધર્મપરિવર્તન બાદ લગભગ તમામ વસ્તીએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો અને દેશનું ઈસ્લામીકરણ થઈ ગયું. આ વાતનો ઉલ્લેખ ‘નોટ ઑન ધ અર્લી હિસ્ટ્રી ઑફ માલદીવ્સ’ નામના પુસ્તકમાં પણ કરાયો છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

હાલ માલદીવમાં મુસ્લિમોની કેટલી વસ્તી?

હિન્દ મહાસાગરમાં આવેલા ટાપુ દેશમાં 98 ટકા મુસ્લિમો છે, બાકીના બે ટકા અન્ય ધર્મના છે, પરંતુ તેમને પોતાના ધાર્મિક પ્રતીકોમાં માનવાની તેમજ જાહેરમાં તહેવાર ઉજવવાની મંજૂરી નથી. એટલું જ નહીં, જો કોઈએ માલદીવની નાગરિકતા મેળવવી હોય તો તે મુસ્લિમ, અને તે પણ સન્ની મુસ્લિમ હોવો જરૂરી છે. મિનિસ્ટ્રી ઑફ ઈસ્લામિક અફેયર્સ (MIA) અહીંના ધાર્મિક બાબતોનું નિયંત્રણ કરે છે.

વિદેશી પ્રવાસીઓ પર ધાર્મિક બંધન

માલદીવમાં ટાપુઓની મોજ માણવા ગયેલા વિદેશી પ્રવાસીઓ પર પણ કેટલાક ધાર્મિક નિયમો લાગુ પડે છે. પ્રવાસીઓને ત્યાં પોતાના ધર્મની પ્રેક્ટિસ કરવાની મનાઈ છે. તેઓ જાહેરમાં પૂજા-પાઠ પણ ન કરી શકે. 

અમેરિકાનો માલદીવ અંગેનો રિપોર્ટ

યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે વર્ષ 2022માં માલદીવ અંગેનો ‘રિલીજિયસ ફ્રીડમ’ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં જણાવાયું છે કે, ટાપુ પર ભગવાનની મૂર્તિઓ સ્થાપવાના ગુનામાં 3 ભારતીય પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં લગભગ 29 હજાર ભારતીયો રહે છે, તેમાંથી કેટલાકે ઈસ્લામ અપનાવ્યો હતો અથવા તો પોતાનો ધર્મ છુપાવીને રહેતા હશે.

ધર્મપરવિર્તન પર કડક સજા

માલદીવમાં કટ્ટરપંથ એટલી હદે ખતરનાક છે કે, ત્યાં ધર્મ પરિવર્તનની પણ મંજૂરી નથી. જો કોઈપણ મુસ્લિમ નાગરિક પોતાની ઈચ્છાથી અન્ય ધર્મ અપનાવે તો મિનિસ્ટ્રી ઑફ ઈસ્લામિક અફેયર્સ હેઠળ તેને કડક સજા ફટકારાય છે. અમેરિકાના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ધર્મ પરિવર્તન કરનારાઓને શરિયા કાયદા હેઠળ મોતની સજા અપાય છે, જોકે માલદીવ સરકારે આ મામલે ક્યારે કોઈ સીધું નિવેદન આપ્યું નથી.

માલદીવનો ISIS સાથે સંબંધ?

લગભગ 12 ટાપુઓના દેશ વિશે એવું માનવામાં આવે છે કે, ત્યાં સૌથી વધુ કૈપિટા વસ્તીના યુવાઓ ઈસ્લામી સ્ટેટ માટે લડવા ગયા. યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રેજરીના જણાવ્યા મુજબ વર્ષ 2014થી 2018ની શરૂઆત સુધીમાં ત્યાંથી અઢીસોથી વધુ લોકો ISISમાં ભરતી થવા સીરિયા જતા રહ્યા, જે જનસંખ્યા મુજબ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંથી ઘણા લોકો માર્યા ગયા છે, જ્યારે મોટાભાગના માલદીવિયન મહિલાઓ ઉત્તર પૂર્વ સીરિયાના કેમ્પોમાં છે. તેમને પરત લાવવા ખુદ માલદીવની સરકારે નેશનલ રીઈન્ટીગ્રેશન સેન્ટર બનાવેલું છે અને તે અન્ય દેશોના સંપર્કમાં છે.

માલદીવનું અડ્ડૂ શહેર ઈસ્લામીક ઉગ્રવાદીઓનો ગઢ

અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ માલદીવનો અડ્ડૂ શહેર ઈસ્લામિક ઉગ્રવાદીઓનો ગઢ છે. 2018 બાદ આ શહેર સક્રિય થયું અને સતત ISISની વિચારધારા પર કામ કરવા લાગ્યું. ત્યાં ઘણા ઉગ્રવાદી જૂથો કામ કરે છે, જે ISIS-K (અફઘાનિસ્તાન સ્થિત ISIS શાખા)નાા સીધા સમર્થક છે. ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા લીડર સહિત બાકીના જૂથો ઈસ્લામિક સ્ટેટ સુધી IED અને ઉગ્રવાદીઓ મોકલવાનું કામ કરે છે. ઉપરાંત યુવાઓને ભડકાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યાંના ઘણા લોકો અલ-કાયદાનું પણ સમર્થન કરે છે.

Tags :