Get The App

પાકિસ્તાનની ગેમ બગાડવા ભારત એક્ટિવ થયું, મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરાર અંગે ચર્ચા ફરી શરૂ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News


Gulf investment in India : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટેની વાતચીત ફરી શરૂ થવા જઈ રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે મહત્વપૂર્ણ વ્યાપારિક કરારો કર્યા છે.

GCC એ છ ખાડી દેશોનું સંગઠન છે, જેમાં સઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને આ દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો લગભગ 5000 વર્ષ જૂના છે. હાલમાં, લગભગ 1 કરોડ ભારતીયો આ દેશોમાં રહી રહ્યા છે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય વસ્તુઓ અને સેવાઓના મુક્ત પ્રવાહને વધારવો, રોકાણને પ્રોત્સાહિત કરવું અને નીતિઓમાં સ્થિરતા લાવવાનો છે.

પાકિસ્તાન-સઉદી સંરક્ષણ કરારનો એંગલ

ભારત અને GCC વચ્ચેની આ મંત્રણા એવા સમયે ફરી શરૂ થઈ રહી છે. જ્યારે પ્રદેશની ભૂ-રાજનીતિ (Geopolitics) ઘણી જટિલ છે. સપ્ટેમ્બર 2025 માં, સઉદી અરેબિયા અને પાકિસ્તાને 'સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ' (SMDA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંરક્ષણ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025 માં થયેલા લશ્કરી ગતિરોધ (ઓપરેશન સિંદૂર) ના થોડા મહિના પછી થયો હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025 માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનની પાંખો અથડાઈ

UAE અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ

એક તરફ જ્યાં પાકિસ્તાન અને સઉદી અરેબિયા નજીક આવી રહ્યા છે, બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

એરપોર્ટ સોદો રદ: UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની ભારત મુલાકાતના ટૂંક સમય બાદ જ UAE એ પાકિસ્તાન સાથેનો એક મોટો કરાર રદ કર્યો છે. પાકિસ્તાની અખબાર 'એક્સપ્રેસ ટ્રિબ્યુન' ના અહેવાલ મુજબ, UAE એ ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલન સાથે જોડાયેલો સોદો સ્થગિત કરી દીધો છે, કારણ કે પાકિસ્તાન કોઈ સ્થાનિક ભાગીદારની નિમણૂક કરી શક્યું નથી.

વ્યૂહાત્મક કારણો: પાકિસ્તાન દ્વારા સઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા પછી UAE અને પાકિસ્તાન વચ્ચે અંતર વધ્યું છે.

ભારત-UAE ની વધતી નિકટતા: UAE ના રાષ્ટ્રપતિની તાજેતરની દિલ્હી મુલાકાતે આ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડી દીધા છે.

ભારત-UAE: $200 બિલિયનનો લક્ષ્યાંક

UAE ના રાષ્ટ્રપતિની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ભારત મુલાકાતના કલાકો બાદ, બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 2032 સુધીમાં 200 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. ખાડી દેશોમાં UAE અને સઉદી અરેબિયા ભારતના સૌથી મોટા વ્યાપારિક ભાગીદારો છે. વિશ્લેષકોનું માનવું છે કે, સઉદી અરેબિયા સાથે પાકિસ્તાનની વ્યૂહાત્મક ભાગીદારી અને બીજી તરફ ભારત સાથે UAE ના વધતા સંબંધો ખાડી દેશોની પ્રાથમિકતાઓમાં આવેલા ફેરફારને દર્શાવે છે.