World

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, આ મામલે FIR નોંધાઈ

By GS Team
22 Aug 20222 mins read
This article was originally published on 22 Aug 2022
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, આ મામલે FIR નોંધાઈ

- જ્યારે સરકારે એક રેલીને સંબોધિત કર્યું ત્યારે રાજ્ય સંસ્થાને ધમકી અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ કેસ નોંધવા પર વિચાર કરી રહી છે: રાણા સનાઉલ્લાહ 

ઈસ્લામાબાદ, તા. 22 ઓગષ્ટ 2022, ,સોમવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન વિરૂદ્ધ આતંકવાદ વિરોધી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને ન્યાયતંત્રને તેનું કામ કરવાથી રોકવાનો આરોપ છે. આ પહેલા પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે રવિવારે કહ્યું હતું કે, જ્યારે સરકારે એક રેલીને સંબોધિત કર્યું ત્યારે રાજ્ય સંસ્થાને ધમકી અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ કેસ નોંધવા પર વિચાર કરી રહી છે સનાઉલ્લાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ખાન વિરૂદ્ધ કોઈ પણ કેસ શરૂ કરતા પહેલા સરકાર કાયદાકીય સલાહ લેશે. 

હકીકતમાં શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ, એક મહિલા મેજિસ્ટ્રેટ, પાકિસ્તાનના ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. સનાઉલ્લાહે આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખનું ભાષણ સેના અને અન્ય સંસ્થાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિનો સિલસિલો હતો. કાયદા મંત્રીએ કહ્યું હતું કે, આ બધું સતત થઈ રહ્યું છે. લાસબેલાની ઘટના બાદ એક અભિયાનમાં જ્યારે સૈન્યના 6 અધિકારીઓ માર્યા ગયા હતા. ત્યાર બાદ ગિલે પોતાના ટોચના આદેશ વિરૂદ્ધ જવા માટે સૈન્યના રેન્કોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને ઈમરાને એક મહિલા ન્યાયાધીશ અને પોલીસ અધિકારીઓને તેમની ફરજનું પાલન કરવા માટે ધમકી આપી હતી. 

સનાઉલ્લાહે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે તેમના હાલના ભાષણ પર એક અહેવાલ તૈયાર કર્યો છે અને આ મામલે થોડા દિવસોમાં અંતિમ નિર્ણય લેતા પહેલા એડવોકેટ જનરલ અને કાયદા મંત્રાલય સાથે સલાહ લઈ રહી છે. પાકિસ્તાનમાં મીડિયા પર દેખરેખ હેઠળ સંસ્થાએ તમામ સેટેલાઈટ ટેલિવિઝન ચેનલો દ્વારા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના ભાષણોના જીવંત પ્રસારણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આવા સમયે આ પગલું ભરવામાં આવ્યું છે. જ્યારે થોડા કલાકો પહેલા ઈસ્લામાબાદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે સરકારી સંસ્થાઓ અને સરકારી અધિકારીઓને ધમકી આપી હતી. 

પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે એક રિલીઝમાં કહ્યું હતું કે, ટેલિવિઝન ચેનલને વારંવાર ચેતવણીઓ છતાં 'સરકારી સંસ્થાઓ' વિરૂદ્ધ સામગ્રીનું પ્રસારણ રોકવામાં નિષ્ફળ રહી છે. એવું ધ્યાને આવ્યું છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) રાષ્ટ્રપતિ ઈમરાન ખાન તેમના ભાષણો અને નિવેદનોમાં સરકારી સંસ્થાઓ પર સતત પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે સાથે જ ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા નફરત ફેલાવતા ભાષણો ફેલાવી રહ્યા છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી મુશ્કેલ બની શકે છે અને જાહેર શાંતિનો ભંગ થવાની સંભાવના છે.