Get The App

જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના નદીપા વિસ્તારમાં વાલબાઇ મસ્જીદ નજીક રહેતો શકીલ સાહિલભાઇ જાબર નામનો 32 વર્ષીય યુવાન તેની 3 વર્ષની નાની પુત્રી સાથે આજે બપોરે ઘર નજીક બેઠો હતો, ત્યારે જી.જે.10 ઇ.સી. 2192 નંબરની કારમાં આવેલા 4 શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા હતા.

 ત્યારબાદ, ઇજાગસ્ત શકીલભાઇને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી, અને હાથ ભાંગી ગયો હોવાથી હાથમાં પ્લાસ્ટર કરાયું છે.

 આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.