જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુરમાં શિવપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઈ આલાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. પત્ની ગંગાબેન સાથે થોડા દિવસ અગાઉ ઝઘડો થયો હતો, જેથી પત્ની ગંગાબેન પોતાના બાળકો સાથે ઘર છોડીને ફઇબાના ઘેર રહેવા માટે ચાલી ગઈ હતી, જેથી અશોકભાઈને મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર મામલામાં પોલિસ વધુ તપાસ ચલાવી રહી છે.









