- ભાવનગર-રાજકોટ હાઈ-વે પરનો બનાવ
- ઉમરાળા પોલીસ મથકમાં બુલેટ ચાલક સામે ગુનો નોંધાયો
ઉમરાળા તાલુકાના જાળીયા ગામે રહેતા સદામખાન દોલતખાન પઠાણ તથા કમલેશભાઈ જીવરાજભાઈ ડાભી અને માંડવા ગામના સંજય ઉર્ફે હકો કિશોરભાઈ સોલંકી સલમાનની જીજે-૦૧-એમવી-૧૭૭૫ નંબરની બાઈક લઈને જાળીયા ગામેથી નિકળ્યા હતા અને સદામ બુલેટ બાઈક ચલાવતો હતો ત્યારે રાત્રિના પોણા અગિયાર કલાકના અરસમાં તેઓ લીમડા (હનુભાના) ખાતે પરત આવી રહ્યાં હતા ત્યારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર શ્રીજી વોટર પાર્ક પાસે રોડની સાઈડમાં ડિવાઈડર સાથે બુલેટ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ઢસા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમલેશભાઈ તથા સદામખાનને ફરજ પરના તબીબને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે સંજયભાઈ સોલંકી (રહે.માંડવા)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. આ અંગે મૃતક કમલેશભાઈના ભાઈ રવિભાઈ જીવરાજભાઈ ડાભી (રહે.જાળીયા)એ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


