Get The App

રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં બે ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં બે ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા 1 - image

Bharuch Fraud Case : ભરૂચની કંપનીના ખાનગી ઓફિસર તેમજ તેના મિત્રએ ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમમાં 25.75 લાખ ગુમાવ્યા છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર પુરુષોત્તમ પાકૅ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ મજા આવતા ભરતભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાધે એન્ટરપ્રાઇઝની સંચાલિકા મિતલ મહેન્દ્રભાઈ પરમાર સાથે સંપર્ક થયો હતો. 

મિતલ પરમારએ લોકલથી માંડીને ઇન્ટરનેશનલ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે વાતો કરી રોજના બે ટકા લેખે 100 દિવસ સુધી વળતરની ગેરંટી આપી હતી. જેથી મેં 13 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે મારા મિત્રએ 12.75 લાખનું રોકાણ કર્યું હતું. 

પરંતુ ત્યારબાદ ઓફિસની સંચાલિકાએ વળતર આપ્યું ન હતું અને ઓફિસ પણ બંધ કરી દીધી હતી. આજવા રોડ ખાતેના મકાનમને તપાસ કરતા ત્યાં પણ કોઈ મળી આવ્યું ન હતું. જ્યારે નિતલે વિશ્વાસ સંપાદન કરવા આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો. જેથી સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.