Gujarat

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત

By GS TEAM
21 Jun 20261 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોધરા-શહેરા રોડ પર જૂના મોર ડુંગરા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત

Panchmahal Car Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોધરા-શહેરા રોડ પર જૂના મોર ડુંગરા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારમાં સવાર લોકો ગોધરાથી પોતાનું કામ પતાવીને શહેરા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જૂના મોર ડુંગરા નજીક અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે કાર રોડ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર કિરણ પટેલ અને મહેશ ખાંટ નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતક યુવાનો સંબંધમાં સાળા-બનેવી થતા હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના શવનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.