Get The App

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન 1 - image

- મશીનરી આવી છતાં ઉપયોગ કરવામાં આળસ

- ઉકરડાની સમસ્યા પણ માથાના દુઃખાવા સમાન બની, મોઢે ડુચા દઈને નીકળવું પડે તેવી નોબત

સિહોર : સિહોરની મુખ્ય બજારમાં ગટર ઉભરાવવાની કાયમી સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ ત્રાસી ગયા છે. સરકારમાંથી એક જેટીંગ વેક્યુમ મશીન અને કચરા-કુડાઓ સાફ કરવા બે મશીનો આવ્યા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં ન.પા. તંત્ર આળસ કરી રહ્યું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવી મશીનરી આવતા ગટરનો કાયમી પ્રશ્ન હલ થશે તેવા સત્તાધાશીઓ બણગાં ફૂંક્યા હતા. પરંતુ હકીકત અલગ જ છે. મુખ્ય બજાર, વડલાવાળા ખોડિયાર મંદિરથી મોટાચોક માર્કેટ સુધી અને અન્ય સ્થળોએ ક્યાંક ને ક્યાંક હજુ પણ ગટર ઉભરાવાનો પ્રશ્નો રોજીંદો બન્યો છે. આ ઉપરાંત નિયમિત રીતે સફાઈ કરવામાં આવતી ન હોવાથી રસ્તાઓ ઉપર કચરાના ઢગ ખડકાયેલા રહેતા હોય, લોકોને મોઢે ડુચા દઈને નીકળવું પડે તેવી નોબત છે. ગંદકીના સામ્રાજ્યના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે. મચ્છરોના ઉપદ્રવથી ઘરે-ઘરે માંદગીના ખાટલા હોવા છતાં જવાબદાર તંત્ર અને શાસકો ઘોર નિંદ્રાંમાં પોઢેલા હોય, લોકોમાં રોષ ફેલાયો છે.