Gujarat

નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો

By GS TEAM
2 May 20261 min read
નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો

વડોદરાઃ નડિયાદમાં બે દિવસ પહેલાં બંગલામાં ત્રાટકી રોકડ અને દાગીના ઉઠાવી જનાર રીઢા ઘરફોડિયાને વડોદરા  પોલીસે તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડી દાગીના અને રોકડ કબજે કર્યા છે.

નડિયાદના વૈશાલી રોડ પર નમસ્કાર બંગલામાં રહેતા ક્ષમાબેન ભટ્ટને ત્યાં ગઇ તા.૩૦મી એપ્રિલે તાળું તોડી ત્રાટકેલા ચોરે દાગીના સહિત રૃ.૫ લાખની મત્તા ચોરી હતી.જે બાબતે નડિયાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

દરમિયાનમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તાંદલજા વિસ્તારનો રીઢો ઘરફોડિયો નિહાલ રાજેન્દ્ર બારોટ(અલમદિના રેસિડેન્સી, એકતા નગર,તાંદલજા) સ્કૂટર પર ચોરીના દાગીના વેચવા માટે ફરતો હોવાની માહિતી મળતાં તેને ઝડપી પાડયો હતો.

આ દરમિયાન તેની પાસેથી રોકડા રૃ.૧ લાખ,દાગીના અને મોબાઇલ મળ્યા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન તેણે નડિયાદના બંગલામાં કરેલી ચોરીનો ભેદ ખૂલ્યો હતો.આરોપીની અગાઉ પણ ૧૯ જેટલા ગુનામાં સંડોવણી હતી,જેથી વડોદરા પોલીસે તેને નડિયાદ પોલીસને સોંપવા તજવીજ કરી છે.