Get The App

જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ 1 - image

Jamnagar Theft Case : જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂ.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

 તપાસ દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફના સર્વેલન્સ દરમિયાન ચોરી થયેલા રોટાવેટર તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું લાલ રંગનું મેસી ટ્રેક્ટર નંબર જી.જે. 07 ડીડી 4040 સાથે અભય સુભાષભાઈ ભડાણીયા (ઉ.વ.25), રહે. જામવાડી ગામ, જામજોધપુર, મયુરભાઈ ગોવિંદભાઈ બારીયા (ઉ.વ. 21, રહે-વનાણાગામ, જામજોધપુર), વિજયભાઈ વરવાભાઈ વરૂ (ઉ.વ. 31 રહે-કૃષ્ણગઢ, ભાણવડ) અને વિશાલ નિલેશભાઈ કણસાગરા (ઉ.વ.19 રહે-સગરપા વિસ્તાર, જામજોધપુર) વગેરેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે.