Gujarat

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધુ ૭૪ કેસ નોંધાયા, ૧ વ્યક્તિનું મૃત્યુ

By GS Team
8 Mar 20191 min read
This article was originally published on 8 Mar 2019
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધુ ૭૪ કેસ નોંધાયા, ૧ વ્યક્તિનું મૃત્યુ

અમદાવાદ, ગુરુવાર

અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂનો કેર બરકરાર રહ્યો છે. આજે ગુજરાતમાંથી સ્વાઇ ફ્લૂના ૭૪ કેસ નોંધાયા હતા જ્યારે ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આમ, રાજ્યમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંક ૩૭૯૨એ પહોંચ્યો છે અને ૧૧૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૨૦ કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. છેલ્લા ૭ દિવસમાં અમદાવાદ શહેરમાંથી જ કુલ ૧૯૦ વ્યક્તિ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી છે. રાજ્યમાં અન્યત્ર સુરત કોર્પોરેશનમાંથી ૧૦, સાબરકાંઠા-આણંદમાંથી ૫-૫, વડોદરા શહેર-મહેસાણામાંથી ૪-૪, જુનાગઢમાંથી ૩, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ કોર્પોરેશન-ભાવનગર કોર્પોરેશન-જામનગર કોર્પોરેશન-જુનાગઢ કોર્પોરેશન-પંચમહાલ-અમરેલીમાંથી ૨-૨, ભાવનગર-બોટાદ-ભરૃચ-રાજકોટ-ખેડા-અમદાવાદ-મહીસાગરમાંથી ૧-૧ કેસ નોંધાયા હતા.

૧ જાન્યુઆરી ૨૦૧૯થી અત્યારસુધી ૩૦૧૨ વ્યક્તિએ સ્વાઇન ફ્લૂને મા'ત આપેલી છે જ્યારે ૫૬૨ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 

 

ગુજરાતમાં છેલ્લા ૭ દિવસમાં સ્વાઇન ફ્લુના કેસ

તારીખ કેસ     મૃત્યુ

૧ માર્ચ ૯૫     ૦૧

૨ માર્ચ ૯૮     ૦૨

૩ માર્ચ ૯૦     ૦૪

૪ માર્ચ ૧૦૬   ૦૪

૫ માર્ચ ૧૧૭   ૦૨

૬ માર્ચ ૮૭     ૦૧

૭ માર્ચ ૭૪     ૦૧

કુલ    ૬૬૭   ૧૫