Get The App

રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ 1 - image

ચાર મહિલા સહિત ૧૨ લોકો ઇજાવ્રસ્ત

પોલીસ કર્મચારીએ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર  - રૃવાપરી રોડ પર રહેતા બે કુટુંબી પરિવાર વચ્ચે અગાઉ થયેલી બોલા ચાલીના સમાધાન માટે એકત્ર થયેલા લોકો વચ્ચે બોલા ચાલી થઈ જતા બે જૂથ વચ્ચે પથ્થર મારી કરી એક બીજાને ઇજા પહોંચાડી હતી.

ઘોઘારોડ પોલીસ સ્ટેશન હેઠળ આવેલ બોરડી ગેટમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રઘુવીરસિંહ કનુભા ગોહિલએ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રૃવાપરી રોડ બહુચરાજી માતાજીના મંદિર સામે હનુમાન દાદાના ઓટલા પાસે રહેતા માધવીબેન સુભાષભાઈ બારૈયાને તેમના કુટુંબી જેઠ જીતેશ જેન્તીભાઈ બારૈયા તથા સુરેશ જેન્તીભાઈ બારૈયા એક જ પ્લોટમા આજુબાજુમાં જ રહેણાંક ધરાવે છે.તેઓની વચ્ચે અંદરો અંદર ગઈ તા, ૦૭ મે ૨૦૨૬ ના રાત્રીના સમયે કોઇ બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હતી. જે અંગે બન્ને પરિવારના સભ્યો ગઈ તા, ૦૮ મે ૨૦૨૧ ના રાત્રીના દસેક વાગ્યે સમાધાન માટે ઘર પાસે એકઠા થયા હતા. આ વખતે માધવીબેનનુ પિયર નજીકમાં જ આવેલ હોય જેથી તેના પિયર પક્ષના તેના પિતા  ધીરા ભોળાભાઈ મકવાણા તથા શંકર ભોળાભાઈ મકવાણા,રવિ તનસુખભાઇ મકવાણા આવી બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવતા હતા. તે દરમ્યાન માધવીબેન સુભાષભાઈ બારૈયા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને જોર જોરથી બોલવા લાગેલા કે, સુરેશ અને જેન્તી તમો અમારી સાથે શા માટે માથાકુટ કરો છો ? તે સાંભળી ગુલાબ જેન્તીભાઈ બારૈયા તથા જેન્તી પ્રેમજીભાઈ બારૈયા તથા સોનલબેન જીતેશભાઇ બારૈયા તેમજ સંગીતાબેન પ્રવિણભાઇ બારૈયા ત્યા આવી મોટેમોટેથી માધવીબેનને ગાળો આપવા લાગ્યા હતા. અને કહેવા લાગેલ કે તમારે થાય તે કરી લેજો આ વખતે માધવીબેનના પતિ સુભાષ મકનભાઇ બારૈયા તેમજ અનિતાબેન વિજયભાઈ જાદવ તથા અનિલ બુધાભાઈ બારૈયા તથા ગોરધન વાજા આવી વધારે માથાકુટ કરવા લાગ્યા હતા. અને સામસામે ગાળાગાળી કરી બંને પક્ષના લોકો જાહેરમાં રૃવાપરી રોડ પર આવી સામસામે ઇંટોના ટુકડા તથા પથ્થરોના એકબીજા ઉપર ઘા કરવા કરી એક બીજાને ઇજા પહોંચાડી હતી. સામ સામી પથ્થર મારો થતા વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.આ જૂથ અથડામણમાં ચાર મહિલા ૧૨ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે પોલીસ કર્મચારીએ ચાર મહિલા સહિત ૧૪ લોકો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.