Get The App

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય 1 - image

Surat Corporation : સુરત પાલિકાની નબળી કામગીરીને કારણે આ વર્ષે પાલિકાના વેરા વસુલાતની કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે. આ વર્ષે પાલિકાના વેરા વસુલાત વિભાગની નબળી કામગીરી અને નબળા સુપરવિઝનના કારણે પાલિકાની આવકને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે પાલિકાએ વેરા વસુલાત માટે 2559 કરોડના લક્ષ્યાંક સામે નાણાંકીય વર્ષ પૂરો થવામા ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંડ 1650 કરોડની વસૂલાત થઈ છે. પાલિકાની આ નબળી કામગીરીને કારણે 800 કરોડનો ફટકો પડે તેવી શક્યતા જણાઈ રહી છે. 

સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોયની નાબુદી બાદ સુરત પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલ્કત વેરા સાથે અન્ય વેરા બની ગયા છે. જેના કારણે સુરત પાલિકા દર વર્ષે મિલકત વેરાની વસુલાત આક્રમક રીતે કરે છે અને વસુલાત માટે મિલ્કત સીલ કરવા ઉપરાંત ડ્રેનેજ અને નળ જોડાણ કાપી નાંખવામાં આવે છે. પાલિકા મિલકત વેરાની વસુલાત આક્રમક રીતે કરતા હોય ગત વર્ષે પાલિકાએ 72 ટકા જેટલી વસુલાત થઈ  હતી. 

જોકે, આ વર્ષે પાલિકાની નબળી કામગીરીને કારણે વેરા વસુલાતનો લક્ષ્યાંક 2559 કરોડનો રાખવામાં આવ્યો હતો. હવે નાણાકીય વર્ષ પૂરો થવામાં માંડ પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે વેરા વસુલાતનો લક્ષ્યાંક 2559 કરોડની વસુલાત સામે હજી સુધી માત્ર 1650 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. ત્યારે વેરા વસુલાતના 909 કરોડ બાકી છે. બાકી રહેલા દિવસોમાં 100 કરોડ જેટલી વસુલાત શક્ય છે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે હજી પણ 800 કરોડની વસૂલાત બાકી રહે તેવી શક્યતા છે. લાંબા સમયથી પાલિકા વેરા વસુલાત વિભાગની કામગીરી અચાનક નબળી થતા પાલિકાની આવકમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે. 

નબળી કામગીરી માટે SIR પર ઠીકરું ફોડવાનો પ્રયાસ

સુરત પાલિકાની વેરા વસુલાતની નબળી કામગીરી માટે SIR પર ઠીકરું ફોડવાનો પ્રયાસ શરૂ થયો છે. નબળી કામગીરી માટે અધિકારી-કર્મચારીઓની નબળી કામગીરી છે પરંતુ હવે રાષ્ટ્રીય કામગીરીના કારણે વેરા વસુલાત પર અસર થઈ હોવાની વાત શરૂ કરી દેવામાં આવી છે.