Get The App

નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા

પુત્રીનો કોલ બે દિવસથી રિસીવ નહી ંકરતા પાડોશીને તપાસ કરવાનું કહેતા જાણ થઇ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા 1 - image

વડોદરા,નિવૃત્તિ પછી એકલવાયુ જીવન જીવતા નિવૃત્ત અધિકારી તેમના ઘરના રસોડામાંથી મૃત  હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે તપાસ  હાથ ધરી છે.

મૂળ વેરાવળના અને હાલમાં વડોદરા ગોત્રી વિસ્તારમાં રચના એવન્યુમાં રહેતા ૬૮ વર્ષના પ્રકાશભાઇ કુંદનલાલ પુરોહિત આસિસ્ટન્ટ  સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ તરીકે નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન  ગુજારે છે. બે દિવસથી તેમની દીકરી ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, તેમનો સંપર્ક થઇ શકતો નહતો. જેથી, પુત્રીએ  પાડોશીને તપાસ કરવા કહેતા પાડોશીએ દરવાજો ખખડાવ્યો  હતો.પરંતુ, તેમણે દરવાજો નહીં ખોલતા દરવાજો તોડવાની ફરજ પડી હતી. પ્રકાશભાઇ રસોડામાં બેભાન જેવી  હાલતમાં મળી આવતા એમ્બ્યુલન્સ બોલાવી હતી. એટન્ડન્ટે તેઓનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મોતનું કારણ જાણવા  પોલીસે પી.એમ. કરાવ્યું છે.