Get The App

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar : જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર રહેતા બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક મહિલાને જાતિ અંગે અપમાનિત કરી ધમકી આપવાના મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

 મળતી માહિતી મુજબ, સીટી એ. ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 352, 351(3), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 ફરિયાદી ધનીબેન ઉર્ફે કોમલબેન બગડા (ઉ.વ.26), રહે. મંગલધામ સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓ રશીદાબેન જાવીદભાઈ, તેમજ તેણીની દીકરી, દક્ષાબેન હરિયાણી, તેમની બહેન અને ભાઈ સુનીલ હરિયાણી (બધા રહે. જામનગર) સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી વારંવાર ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા તેમજ મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ છે.

 આ ઘટના તા. 09/04/2026 અને તા. 17/04/2026ના રોજ રાત્રિના સમયે બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસ.ટી.એસ.સી.સેલ, જામનગર દ્વારા કરવામાં આવી રહી છે.