Jamnagar Police : જામનગર શહેરમાં શનિવારે રમઝાન ઇદના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તેના ભાગરૂપે પૂર્વરાત્રીએ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જામનગરના શંકર ટેકરી વિસ્તાર, દિગ્વિજય 49 નો છેડો, કે જ્યાં ઇદગાહ મસ્જિદ આવેલી છે, તે ઉપરાંત આસપાસના અન્ય વિસ્તારોમાં પોલીસ ટુકડી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જામનગરના એસ.પી. ડો.રવિ મોહન સૈની અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ સીટી સી.ડિવિઝનના પી.આઇ. એન.બી.ડાભી અને તેઓની સમગ્ર પોલીસ ટિમ દ્વારા આ કવાયત કરવામાં આવી હતી.


