Get The App

જામનગરના યોગેશ્વર નગરમાં રહેતી એક પરણિતાને તેના પતિએ મારકુટ કરી વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવાતાં ભારે ચકચાર

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના યોગેશ્વર નગરમાં રહેતી એક પરણિતાને તેના પતિએ મારકુટ કરી વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવાતાં ભારે ચકચાર 1 - image

જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર-2માં રહેતી એક પરણીતાએ પોતાના પતિ જયેશ લાલજીભાઈ પરમાર સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારી અન્ય મિત્ર સાથે વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી એ. ડિવિઝનના એએસઆઈ આર. એ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ફરિયાદી યુવતી કે જેના અ બીજા લગ્ન થયા છે. અગાઉ તેના છૂટાછેડા થઈ ગયા બાદ આજથી ચાર મહિના પહેલા આરોપી જયેશ લાલજી પરમાર સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ચાલતો ન હતો. અને યુવતી ઘર છોડી ને ચાલી ગઈ હતી. દરમિયાન આરોપી સમજાવટ કરીને મહિલાને પોતાના ઘેર પરત આવ્યો હતો, અને મારકુટ કરી પોતાના અન્ય મિત્ર સાથે વ્યભિચાર કરવા દબાણ કર્યું હતું, અને મારઝુડ કરી હોવાથી તેણીએ પોતાને થયેલી ઇજા સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો, અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને ચકચાર જાગી છે.