Get The App

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માંગણી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માંગણી 1 - image

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદે રીતે 27 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવા અંગે છુટા કરાયેલા કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા કર્મચારીઓને સાથે લઈ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવા સહિત મોટી સંખ્યામાં એકત્ર કર્મચારીઓએ સૂત્રોચાર કરીને કલેકટર કચેરી પ્રાંગણ ગજાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે આવેલ નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપનીમાંથી 27 કર્મચારીઓને કોઈ કારણોસર એકાએક છુટા કરી દેવાયા હતા. જેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ અંગે કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા છૂટા કરાયેલા કર્મચારીઓને સાથે રાખીને સામાજિક કાર્યકર લખન દરબાર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં છુટા કરાયેલા કર્મચારીઓએ ન્યાય આપવાની માગણી સાથે સૂત્રોચાર કર્યો હતો. જ્યાં સામાજિક કાર્ય કરે કલેકટર કચેરીએ ખાતે આવેદન પત્ર આપીને છૂટા કરાયેલા કર્મચારીઓ બાબતે સઘન રજૂઆત કરી ન્યાય માટે માંગણી કરી હતી.