અમદાવાદ, બુધવાર
રખિયાલામાં ઘર કંકાસે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જેમાં દિકરી અને જમાઇ વચ્ચે તકરાર થઇ હતી જેથી સસરા સમજાવવા જતાં જમાઇએ ઉશ્કેરાઇને સસરાને માર મારીને સાસુ ઉપર છરીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સાસુને સારવાર માટે સરસપુરની શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરી-જમાઇ વચ્ચે તકરારમાં સસરા સમજાવવા જતાં જમાઇએ તેમને માર મારી છરીથી હુમલો કરી સાસુને લોહી લુહાણ કર્યા
રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી અને જમાઇ વચ્ચે અવાર નવાર ગૃહ કલેશના કારણે તકરાર થતી હતી આજે સવારે પણ બન્ને વચ્ચે તકરાર થતાં સવારે દિકરીએ ફોન કરીને તેઓને બોલાવ્યા હતા. જેથી ફરિયાદી મહિલા અને તેમના પતિ દિકરીના ઘરે ગયા હતા.
જ્યાં બન્ને તકરાર કરતા હોવાથી સસરાએ જમાઇને સમજાવવા પ્રયાસ કરતાં જમાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને સસરાને ગડદાપાટુનો માર મારીને સાસુ ઉપર છરીથી હુમલો હાથમાં ગંભીર ઇજા થતા લોહી લુહાણ થતાં તેઓને સારવાર માટે સરસપુરમાં શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.


