Gujarat

આઠ શહેરોમાં 12 થી પ સુધી રાત્રિ કરફ્યૂ,11 સુધી બજારો ખુલ્લાં રહેશે

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
આઠ શહેરોમાં 12 થી પ સુધી રાત્રિ કરફ્યૂ,11 સુધી બજારો ખુલ્લાં રહેશે

સીએમ હાઉસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

કોરોનાના કેસો ઘટતાં 19 શહેરોને કરફ્યૂ મુક્તિ

લગ્ન, સામાજિક - ધાર્મિક મેળાવડામાં વધુ છૂટછાટ નહીં

અમદાવાદ : કોરોના ના કેસો ઘટવા માંડયા છે ત્યારે રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુમાં વધુ રાહત આપવા નિર્ણય કર્યો છે. ગુરૂવારે સાંજે  ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસૃથાને મળનારી કોર કમિટીની બેઠકમાં કોરોનાની સિૃથતીની સમિક્ષા કરીને માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નક્કી કરાયુ હતું.

એટલું જ નહીં, નવી માર્ગદર્શિકા અનુસાર આ મહાનગરોમાંય રાત્રિના 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલી બનશે.  તા,18 ફેબુ્રઆરી સુધી નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં મૃત્યુઆંક સરવાળે ઓછો રહ્યો છે. કેસો વધતાં રાજ્ય સરકારે શહેરોમાં રાત્રિ કરફયુ લાદ્યો હતો.

હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટયુ છે ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત વડોદરા,સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. જોકે, આ આઠેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં ઢીલ આપવામાં આપવામાં આવી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે.

હવે રાત્રિ કરફ્યુ બાર વાગ્યાથી સવારથી પાંચ વાગ્યા સુધી અમલી બનાવાયો છે. કોરોના નબળો પડયો છે ત્યારે સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુર શહેરને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે. 

કોરોનાનુ સંક્રમણ ઘટયુ છે છતાંય સરકારે લગ્નપ્રસંગ,રાજકીય,સામાજીક અને ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત જાહેર મેળાવડામાં વધુ છુટછાટ આપવાનુ ટાળ્યુ છે. ઉલ્લેખનીય છેકે, લગ્ન સિઝનને જોતાં સરકારે 150ને બદલે 300 જણાંને મંજૂરી આપી હતી. નવી માર્ગદર્શિકામાં આ મામલે નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. 

કોરોનાને લીધે વેપાર ધંધા પર વ્યાપક અસર પડી છે ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂમાં છુટછાટ આપીને અર્થતંત્રની ગાડી પાટા પર ચડે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. આ જોતાં હવે બજારો,હોટલ-રેસ્ટોરન્ટ સહિત ચાની કિટલી,લારી ગલ્લા બ્યુટી પાર્લર,હેર કટીંગ સલૂન, શોપિંગ કોમપ્લેક્સ ઉપરાંત વ્યાપારિક ગતિવીધી રાત્રિના 11 સુધી ચાલશે.   

નવી માર્ગદર્શિકાને પગલે ફરી એકવાર હોટલ-રેસ્ટોરન્ટ સહિત બજારોમાં અવરજવર જોવા મળશે. રાત્રિ કરફ્યુમાં રાહત અપાતાં વેપારીઓમાં ખુશીની લાગણી છવાઇ છે. જોકે, સરકારે હજુય માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સના નિયમોનુ કડક પાલન કરવા લોકોને અપીલ કરી છે.નવી માર્ગદર્શિકા તા,11મી ફેબુ્રઆરીથી અમલમાં આવશે.

કયા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત 

અમદાવાદ, વડોદરા,સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢ

કયા શહેરોને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ

આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુર