Gujarat

નાઇટ કર્ફ્યુને કારણે સુરેન્દ્રનગર શહેરમાં રાત્રિ ખાણીપીણી બજારને નુકસાન

By GS Team
24 Jan 20221 min read
This article was originally published on 24 Jan 2022
નાઇટ કર્ફ્યુને કારણે સુરેન્દ્રનગર શહેરમાં રાત્રિ ખાણીપીણી બજારને નુકસાન

- ઓનલાઇન પાર્સલ મંગાવનારાઓની મર્યાદિત સંખ્યા

- ઢાબા અને રેસ્ટોરન્ટ સહિતના નાના ધંધાર્થીઓને ફરી આર્થિક ફટકો

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર અને ધ્રાંગધા શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા નાઈટ કરફયુ નો આદેશ થતા બન્ને શહેરની રાત્રિ ખાણીપીણી બજારને ફરી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિ એ વધતા જાય છે. ખાસ કરી ને સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં અને ધ્રાંગધ્રાનાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા ૨૯ જાન્યુઆરી સુધી રાત્રિ કરફયુના પાલનનો આદેશ કરવામાં આવેેલો છે. જેને કારણે કોરોનાની પ્રથમ લહેરના લોકડાઉનથી મંદી અને નુકશાનીનો સામનો કરી રહેલા નાના ધંધાર્થીઓને ફરી નુકશાન વેઠવુ પડે તેમ છે. હાલ શિયાળાની સિઝનમાં બાજરીના રોટલા, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો વિગેરે બનાવતી નાની-નાની હોટલ-રેસ્ટોરેન્ટો અને ઢાબાઓમાં ભારે ઘરાકી થતી હતી. ઉપરાંત પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડીયન ફુડ અને પુરી શાક બનાવતા ના-ના ધંધાર્થી ઓને ત્યાં પણ રાત્રિ દરમ્યાન સારી એવી ધરાકી રહેતી હતી. પરંતુ નાઈટ કરફયુના આદેશ બાદ ઘરાકી સાવ ધટી ગઈ છે. 

જો કે, સરકાર દ્વારા પાર્સલ સુવિધા ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે પરંતુ પાર્સલ સુવિધા નો લાભ લેવા વાળા મર્યાદીત ગ્રાહકો હોય છે. પરિણામે ૧૦ વાગ્યા પછીની ઘરાકી ઘટી જતા રાત્રિ ખાણીપીણી બજાર વાળા ધંધાથીૅ ઓને ફરી નુકશાની વેઠવા નો વારો આવ્યો છે.