Get The App

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાયત

પેલેડિયમ મોલ પાસે ૨૯,ઈસ્કોન મંદિર પાસે ૨૩ લોખંડના ડ્રમ મુકવામા આવ્યા

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાયત 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,21 મે, 2026

એસ.જી.હાઈવે ઉપર ટ્રાફિકને સરળ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૃપે પેલેડિયમ મોલ પાસે ૨૯ તથા ઈસ્કોન મંદિર પાસે ૨૩ લોખંડના ડ્રમ મુકયા છે.ડ્રમ્સ અને રોડ બેરિયર્સથી ટ્રાફિક વ્યવસ્થિત કરવા કવાયત શરુ કરવામા આવી છે.કોર્પોરેશને ટ્રાફિક પોલીસ ઉપરાંત એસ.વી.એન.આઈ.ટી.ની મદદથી નવુ ટ્રાફિક મોડલ તૈયાર કર્યુ છે.

સિગ્નલ ફ્રી અને અવરોધમુકત ટ્રાફિક માટેકેપ્સુલ શેપ ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.આ કામગીરી ૧૭મેથી શરુ કરવામા આવી છે.કુલ ૫૪ પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામા આવ્યો છે.જે કેપ્સુલ ભાગ ખુલ્લો કરવામા આવ્યો છે ત્યાં ૨૫ પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામા આવ્યો છે.કોર્પોરેશન તરફથી એવો દાવો કરવામા આવ્યો છે કે, આ કામગીરીથી ટ્રાફિક જામમા ઘટાડો થશે.સમય અને બળતણની બચત થશે.જંકશન ઉપર સતત મુવિંગ ટ્રાફિક મળવાની સંભાવના છે.ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાયલ રન પછી અકસ્માતની સંખ્યામા ઘટાડો થવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.જો આ પ્રયોગ સફળ થશે તો શહેરના અન્ય જંકશનો ઉપર આ પ્રકારની વ્યવસ્થા અમલમા મુકવા તંત્ર વિચારણા કરી શકે છે.