Get The App

મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ 1 - image

રાજકોટમાં તીવ્ર તાપમાં ખાદ્યચીજો બગડવાનું જોખમ વધુ

શેરડીના રસ,બરફ અને બરફ ગોલા, પ્લાસ્ટિક બોટલમાં પાણીના ધંધા ધમધમવા લાગ્યાઃ નિયમિત ચેકીંગની જરૂર 

રાજકોટ: રાજકોટમાં હાલ નોર્મલ તાપમાન કરતા ૬ સે. ઉંચુ તાપમાન રહે છે અને બપોરના સમયે અસહ્ય તાપ વરસી રહ્યો છે જેમાં અનેકવિધ ખાદ્યચીજોમાં બેક્ટેરિયાનો ગ્રોથ થવાનું જોખમ પણ વધે છે. મનપા દ્વારા માત્ર નમુના લઈને કામગીરીનો સંતોષ લેવાયો છે ત્યારે હવે સ્થળ પર હાઈજેનિક કન્ડીશન, ખાદ્યચીજોની ગુણવત્તા પ્રથમદર્શને ચકાસવાનું શરુ કરીને  ૯ ધંધાર્થીઓને નોટિસ આપવા સાથે ૭ કિલો અખાદ્ય છતાં વેચવા રાખેલા પદાર્થોનો નાશ કરાયો છે.

મનપા સૂત્રો અનુસાર (૧) ચાર કોલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી (સર્વેશ્વર ચોક,યાજ્ઞિાકરોડ) (૨) મહાદેવ ઘુઘરા (સર્વેશ્વર ચોક) (૩) એવન ફૂડ ઝોન (જિ.પં.ચોક પાસે)માંથી અખાદ્ય સંગ્રહેલો પ્રિપેર્ડ ફૂડ, વાસી ચટણીનો નાશ કરીને હાઈજેનિક કન્ડીશનની નોટિસ અપાઈ હતી. જ્યારે અન્ય ૬ પેઢીઓને લાયસન્સ લેવા નોટિસ અપાઈ છે. આ પહેલા તાજેતરમાં વિસ્તારમાં અક્ષર પાંઉભાજી (યુનિ.રોડ)માંથી ૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી નોટિસ અપાઈ હતી. 

દરમિયાન આ વર્ષે વહેલો ઉનાળો શરુ થઈ જવાની સાથે લોકોની ખાવા-પીવાની આદતો બદલાઈ છે અને શેરડીના રસ, બરફ ગોલા, શરબત, બરફના કારખાના પ્લાસ્ટિક બોટલમાં મિનરલ કે ડ્રીંકીંગ વોટર તરીકે રૂ।.પાંચ-દસમાં વેચાતું પાણી વગેરેના ધંધા ધમધમવા લાગ્યા છે. ભારે તડકામાં દૂધ-માવાની બનાવટો પણ ઝડપથી બગડતી હોય છે. આ સ્થિતિમાં રોગચાળો અટકાવવા મનપાની ટીમોએ નિયમિત અને વ્યાપક રીતે ચેકીંગ કરીને લોકોને ચુકવેલા નાણાંના બદલામાં ખાદ્ય અને ભેળસેળથી મુક્ત ચીજો જ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.