Gujarat

5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો

By GS TEAM
23 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મનરેગા યોજનમાં થયેલાં ભ્રષ્ટાચારને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી છે. જોકે, સરકારે મનરેગામાં 120 દિવસ રોજી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વાયદો ખોટો ઠર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ મનરેગા યોજનામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ હતી. આ પરથી ગરીબ મજૂરોને રોજી આપવાનો મૂળહેતુ સિદ્ધ થઈ શક્યો ન હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો

MGNREGA Yojana: ગુજરાતમાં મનરેગા યોજનમાં થયેલાં ભ્રષ્ટાચારને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી છે. જોકે, સરકારે મનરેગામાં 120 દિવસ રોજી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વાયદો ખોટો ઠર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ મનરેગા યોજનામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ હતી. આ પરથી ગરીબ મજૂરોને રોજી આપવાનો મૂળહેતુ સિદ્ધ થઈ શક્યો ન હતો. 

2020-21માં 19.32 મજૂરો નોંધાયા હતા 

રાજ્યમાં દાહોદ, મહીસાગર, પંચમહાલમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવ્યું છે. સરકારના મળતિયાઓએ મનરેગા યોજનાને કમાણીની યોજના બનાવી દીધી છે. તેમાં મનરેગા યોજનામાં મટિરિયલ્સ કરતાં વેતન પાછળ ખર્ચ કરવાનો હતો તેના બદલે મળતિયાઓને ફાયદો કરવા મટિરિયલ્સ પાછળ ઘૂમ ખર્ચ કરાયો છે.

આ પણ વાંચો: બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ

કેન્દ્રએ મનરેગા માટે ગુજરાતને વર્ષ 2024-25માં 1101 કરોડ રૂપિયા, જ્યારે વર્ષ 2025-26માં 914 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. ગુજરાતમાં મનરેગામાં વેતન પાછળ 36.03 કરોડ રૂપિયા, જ્યારે મટીરિયલ્સ પાછળ 29.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. મનરેગા યોજનામાં સરકારે વચન આપ્યુ હતું કે, પ્રત્યેક મજૂરને 120 દિવસ રોજગારી અપાશે. પરંતુ એવું થઈ શક્યું નહીં. ગુજરાતમાં વર્ષ 2020-21માં મનરેગા થકી 19.32 લાખ મજૂરોને રોજી મેળવી હતી. વર્ષ 2021-22માં મજૂરોની સંખ્યા ઘટીને 18.44 લાખ થઈ ગઈ હતી. આ સિલસિલો યથાવત્ રહ્યો હતો. વર્ષ 2025-26માં મનરેગામાં રોજગારી મેળવનારાં મજૂરોની સંખ્યા માત્ર 9.74 લાખ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે, હવે મનરેગા યોજનાનું નામ બદલીને આખીય યોજનાને નવો ઓપ અપાયો છે જેનો કોંગ્રેસે દેશભરમાં વિરોધ શરુ કર્યો છે. કેન્દ્રએ દાવો કર્યો છે કે, મજૂરોને વઘુ દિવસ સુધી રોજગારી મળી રહેશે.