Get The App

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું 1 - image

- જિલ્લામાં અકસ્માતથી મોતનો વધુ એક બનાવ

- દીકરીના સગપણની ચુંદડીના પ્રસંગ માટે પિતાને લઈને આમંત્રણ આપવા જતા અકસ્માત નડયો, ગુનો નોંધાયો 

નડીયાદ : માતર ચોકડી સ્વર્ણીમ ગેટ પાસેથી પસાર થતી ટ્રાયસીકલ ચાલકના માથા પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર ગામના મોતીપુરા, ખોડીયાર મંદિર પાછળ રહેતા રોહિતભાઈ રાયસંગભાઈ પરમારની દિકરી મિત્તલબેનની સગપણની ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ હતો. તેમના પિતાજીને બંને પગોએ વાની બિમારી હોવાથી તેઓ બેટરીવાળી ત્રણ વ્હીલની સાઇકલ લઇ માતર રામપુરા વિસ્તારમાં રહેતા કુટુંબીઓને આમંત્રણ આપવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના સુમારે રાયસંગભાઇ માતર સ્વણમ ગેટ સામે ચોકડી ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઇ ડમ્પરવાળાએ પાછળથી સાઇકલને અથડાવતા રાયસંગભાઈ મોતીભાઈ પરમાર (ઉં. વ.૬૯)ના માથા પર ડમ્પરનું પાછળનું ખાલી સાઈડનું તોતિંગ ટાયર ફરી વળતા માથાનો ભાગ સંપુર્ણ કચડાઇ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રોહિત રાયસંગભાઈ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.