Get The App

પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ

અમરાઇવાડીમાં વહેલી સવારે મકાનમાં નીચે આવીને જોયુ તો તિજોરી તૂટેલી હતી

પડોશીના ત્યાં ચોરી કરવા ગયા પણ ફાવી શક્યા નહી

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ 1 - image

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી મકાનના તાળા તોડીને ચોરીઓ કરી રહી છે અમરાઇવાડીમાં રબારી કોલોની પાસે વેપારી પરિવાર સાથે ગઇકાલે રાતે ઉપરના માળે સૂતા હતા અને તસ્કરોએ ત્રાટકીને મકાનના અને તિજોરીના તાળાં તોડીને રોકડા રૃા.૧ લાખ અને સોનાના દાગીના સહિત કુલ રૃા. ૬.૨૮ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીના મકાનના તાળાં તોડી રોકડા રૃા. ૧ લાખ અને દાગીનાની ચોરી કરી પડોશીના ત્યાં ચોરી કરવા ગયા પણ ફાવી શક્યા નહી

અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા અને સવારે આવીને જોયું તોે તેમના મકાનના તાળાં તોડીને અજાણી વ્યક્તિએ મકાનમાં પ્રવેશીને તિજોરી તોડી હતી અને તેમાંથી રોકડા રૃપિયા એક લાખ અને સોના ઘરેણા સહિત કુલ રૃા. ૬.૨૮ લાખની મતાની ચોરી કરી હતી. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ કરતાં તસ્કરોે બાજુના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.