Get The App

જામનગરના પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા 1 - image

Jamnagar Police : જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂપિયા 9 લાખની કિંમતના ઘરેણા અદાલતની મદદ લઈને પરત અપાવ્યા છે, જેથી પરિવારે પોલીસનો આભાર માન્યો છે.

 જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટી શેરી નંબર-1 માં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના રહેવાસીના મકાનમાં ગત 16.10.2025 ના રાત્રિના સમયે ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા 9 લાખથી વધુની કિંમતના ઘરેણાં ઉઠાવી ગયા હત.

 જે તસ્કરને પોલીસે શોધી કાઢ્યો હતો, અને અદાલત સમય રજૂ કર્યો હતો. જેની પાસેથી ચોરાઉ રૂપિયા 9 લાખનો ઘરેણા સહિતના મુદ્દામાલ કે જે અંગે અદાલતમાં કાર્યવાહી કરીને અદાલતનો હુકમ મેળવી લીધા બાદ પોલીસે 'તેરા તુજકો અર્પણ અંતર્ગત તરુણભાઈ તથા તેમના પરિવારને પોલીસ મથકે બોલાવી લઈ તેઓના ઘરેણા પરત અપાવ્યા હતા, તેથી સમગ્ર પરિવારે પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.