Gujarat

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
જામનગરના સૌથી જૂના વિસ્તાર શંકર ટેકરી વિસ્તારમાં ગત મહા શિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર શંકરજીના મંદિરેથી છેલ્લા સાત વર્ષ થી શિવ શોભાયાત્રાનું હિન્દુ સેના દ્વારા આયોજન કરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ

જામનગરના સૌથી જૂના વિસ્તાર શંકર ટેકરી વિસ્તારમાં ગત મહા શિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર શંકરજીના મંદિરેથી છેલ્લા સાત વર્ષ થી શિવ શોભાયાત્રાનું હિન્દુ સેના દ્વારા આયોજન કરાય છે. 

જે અનુસાર આ વખતે વર્ષ 2026ની આ શિવ શોભાયાત્રામાં સોમનાથ ભગવાનના શિવલિંગની ઝાંખી તૈયાર કરીને શંકરટેકરી વિસ્તારમાં બપોરે 1:00 થી ૩:00 વાગ્યા દરમિયાન પસાર થઈ હતી, અને સુભાષ પરા શેરી નાં -1માં પુર્ણ થઈ હતી. 

શંકર ટેકરીમાં આવેલ શંકરના મંદિરેથી શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને બીજેપીના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ બીજેપી શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, આ વિસ્તારના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, બીજેપીના પ્રવિણસિંહ જાડેજા, કોર્પોરેટર મનીષ કટારમલ, બીજેપી શહેર મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર, ડો. મૃગેશ દવે, રવિરાજસિંહ ચૌહાણ, ભરત નંદા, રાજેન્દ્રસિંહ કેર, વોર્ડ નં 15ના પ્રમુખ પુનિતભાઈ અકબરી, મહામંત્રી અર્જુનસિંહ રાઠોડ, મુન્નાભાઈ વસિયર, ધનાભાઇ ભાનુશાળી, પ્રવિણભાઇ માલની, ભુરાભાઈ, બીજેપી આઈટી શેલના ગુંજ કારિયા, વીએચપીના સુભાષભાઈ સુબ્રમણ્યમ, બાલુભા જાડેજા, સિધરાજસિંહ સહિતના મહાનુભાવો જોડાયા.

આ શોભાયાત્રાનું હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈની આગેવાનીમાં પૂર્ણકાલીન કિશન નંદા, શહેર પ્રમુખ હર્ષ ભાનુશાળી, સહમંત્રી સંજય ધનવાણી, કુમાર ચાવલા, રવિ લાખાણી, રણજીતસિંહ રાઠોડ, ચિરાગ વીરજાણી, વિવેક નંદા, અલ્પેશ ફલીયા, મંથન અધેરા, સાહિલ સોલંકી. દીપ ચાંદલીયા વગેરેની શંકરટેકરી સંકલન સમિતિ દ્વારા આયોજન કરાયું હતું.

આ શોભાયાત્રામાં હિન્દુ સેનાની બહેનો દ્વારા રાસ ગરબા અને તલવાર રાસથી લોકોને મુગ્ધ કરી દીધા હતા.સોમનાથ શિવલિંગ સાથે નો રથ, એક ડીજે, બાળ હિન્દુ સેનાની નાના રથમાં શિવજીનું અર્ધ સ્વરૂપ તેમજ હિન્દુ સેનાના ખુશ્બુબેન સોમેગ્રા, નિશાબેન દ્વારા શણગાર સાથે ચલિત શિવજી ને સાથે રાખી આકર્ષણ જગાવ્યું હતું. 

સીટી સી. ડિવિઝન અને ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઇ સહિતના સ્ટાફ એલ આઈ બી તેમજ સી આઇ ડી ના સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથેનો સહયોગ મળ્યો હતો. શંકર ટેકરીમાં શિવ શોભાયાત્રાનું ઠેર ઠેર શરબત તથા ઠંડા પીણા સાથે સ્વાગત પણ કરાયું હતું. યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી શંકર ટેકરીના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.