- આજે ૪થી ફેબુ્રઆરી 'વિશ્વ કેન્સ દિવસ'
- કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સમયસરનું નિદાન કેટલું મહત્વનું છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું
નડિયાદ : ૪થી ફેબુ્રઆરી 'વિશ્વ કેન્સર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ગંભીર બીમારી સામે લડતા દર્દીઓની હિંમતને બિરદાવવાનો દિવસ છે. ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના જયદીપ વિક્રમભાઈ પરમાર માટે આ દિવસ ખાસ છે, કારણ કે તેણે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી લોહીના કેન્સર સામેની જંગ જીતી લીધી છે. ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ આરબીએસકે ટીમની ગૃહ મુલાકાત દરમિયાન જયદીપમાં કેન્સરના લક્ષણોની શંકા જણાઈ હતી, ત્યારબાદ તાત્કાલિક નિદાન અને સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જયદીપને શરૂઆતમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા બાદ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બી-સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એટલે કે, લોહીનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ કપરા સમયે સરકારનો આર.બી.એસ.કે. કાર્યક્રમ તેના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. બાળકને અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી જીસીઆરઆઈ ખાતે ખસેડાયો હતો, જ્યાં લાંબા સમય સુધી ચાલેલી અત્યંત ખર્ચાળ સારવાર કોઈ પણ પ્રકારના શુલ્ક વિના પૂરી પાડવામાં આવી હતી. યોગ્ય દેખરેખ અને સતત ફોલો-અપના કારણે ૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરાયેલી તપાસમાં જયદીપ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સમયસરનું નિદાન કેટલું મહત્વનું છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું છે. હાલ જયદીપ પોતાના ઘરે સામાન્ય જીવન જીવી રહ્યો છે.
આરબીએસકે કાર્ડ એટલે 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' અંતર્ગત આપવામાં આવતું એક સ્વાસ્થ્ય કાર્ડ
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક ખૂબ જ મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે. આ કાર્ડ મુખ્યત્વે ૦થી ૧૮ વર્ષના બાળકો માટે હોય છે. જેમાં આંગણવાડીમાં જતા બાળકો, સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સહિતનાઓનો સમાવેશ થાય છે. કાર્ડ દ્વારા બાળકોમાં મુખ્ય ૪ પ્રકારની સમસ્યાઓની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જેમાં જન્મજાત ખામીઓ, પોષણની ખામી, બાળપણના રોગો, વિકાસમાં વિલંબ અને વિકલાંગતા સહિતનો સમાવેશ થાય છે.
આરબીએસકે ટીમની સતર્કતાથી મળ્યું સુરક્ષા કવચ
ઠાસરા તાલુકાની મોબાઈલ હેલ્થ ટીમે ફિલ્ડ વિઝિટ દરમિયાન જયદીપની ગંભીર સ્થિતિ પારખી લીધી હતી. આ ટીમે તાત્કાલિક સંદર્ભ કાર્ડ ભરીને બાળકને ઉચ્ચ સ્તરીય નિદાન માટે મોકલી આપ્યો હતો. જો આ તબક્કે ટીમની નિામાં ચૂક થઈ હોત તો કદાચ નિદાનમાં વિલંબ થવાથી બાળકની સ્થિતિ નાજુક બની શકી હોત.
ગરીબ પરિવાર માટે સંકટ સમયની સાંકળ
સામાન્ય રીતે લોહીના કેન્સર જેવી બીમારીની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવાર માટે અશક્ય છે. જયદીપના કિસ્સામાં તેને અમદાવાદની જીસીઆરઆઈ હોસ્પિટલમાં દર મહિને નિયમિત અને શ્રે સારવાર આપવામાં આવી હતી. દવાઓથી લઈને રિપોર્ટ સુધીનો તમામ ખર્ચ સરકારી યોજના હેઠળ આવરી લેવામાં આવતા પરિવાર પર કોઈ આથક બોજો પડયો નથી.


