Get The App

સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય 1 - image

હોદ્દેદારોના મળતિયાઓને પગાર વધારાની લ્હાણી

બંધારણ વિરૃદ્ધના નિર્ણયમાં ફેર-વિચારણાં નહીં થાય તો આંદોલન છેડાશે

સિહોર -  સિહોર નગરપાલિકામાં સિનિયર કર્મચારીઓને પગાર વધારા મુદ્દે સત્તાધિશો, તંત્રએ અન્યાય કર્યો છે.

ન.પા.માં ૧૦ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા કર્મચારીઓને પગાર વધારવાનો ઠરાવ થયેલો છે. જેની વિરૃદ્ધમાં જઈ માત્ર પ્રમુખ, ચેરમેન, માજી ચેરમેનના મળતિયા કર્મચારીઓનો જ પગાર વધારો થયો છે. જ્યારે સિનિયોરીટીને ધ્યાનમાં લેવાઈ નથી. ખાસ કરીને સફાઈ કામદારો સાથે વહાલા-દવલાની નીતિ અપનાવાઈ હોય, સફાઈ કામદારોનો પગાર માત્ર ૧૮,૦૦૦ છે. તેની સામે હજુ નોકરીને બે માસ થયા હોય તેવા કર્મચારીઓનો પગાર ૨૧,૦૦૦ કરાયો છે. જે બંધારણ વિરૃદ્ધ હોય, આ બાબતે ફેર-વિચારણાં કર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સિહોર ન.પા.ના ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર, કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદારને રજૂઆત કરી છે.