Gujarat

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 16 કેસ નોંધાયા

By GS Team
30 Jul 20201 min read
This article was originally published on 30 Jul 2020
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 16 કેસ નોંધાયા

રાજપીપળા તા.30 જુલાઇ 2020 ગુરૂવાર

નર્મદા જિલ્લામાં  તા.૩૦  ના રોજ સાંજે 5ઃ30  કલાકે  મળેલી માહિતી મુજબ જે કોરોના વાયરસના જિલ્લામાં  RTPCR  ટેસ્ટમાં વધુ  15 અને ટ્ નેટ (True nat)  ટેસ્ટમાં 1  દરદી સહિત કુલ 16  પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી RTPCR  ટેસ્ટમાં 263 ,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 96 અને ટ્ નેટ (True nat) ટેસ્ટમાં 16 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની  કુલ સંખ્યા 375  નોંધાવા પામી છે.  

રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 8 દરદીઓને આજે રજા અપાતા જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 159 દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 107 દરદીઓ સહિત કુલ 266   દરદીઓને રજા આપી   છે.

આમ, વડોદરા ખાતે રીફર 12 દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર 2  દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે  પંચાવન દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે  40  દરદીઓ સહિત કુલ 109  દરદીઓ સારવાર હેઠળ છે.આજે RTPCR ટેસ્ટમાં 309,ટ્ નેટ (True nat) ટેસ્ટના 10 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના 45 સહિત કુલ 364  ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.