Gujarat

કચ્છમાં કોરોનાના નવા ૪૮ દર્દી ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો

By GS Team
6 Jan 20221 min read
This article was originally published on 6 Jan 2022
કચ્છમાં કોરોનાના નવા ૪૮ દર્દી ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો

ભુજ, બુાધવાર

મંગળવારે કચ્છ જિલ્લામાં ૩૭ કેસો નોંધાયા બાદ આજે બુાધવારે જિલ્લામાં કોરોનાના ૪૮ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો હતો. એકલા ગાંધીધામ શહેરમાં જ ૨૮ કેસો નોંધાયા છે. આજે શહેરી વિસ્તારમાં ૩૮ જયારે ગ્રામિણમાં ૧૦ જ કેસો નોંધાયા છે. કોરોનાના કેસોની સાથોસાથ ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો છે.

જિલ્લામાં આજે આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર, અબડાસા તાલુકામાં ૧, અંજાર તાલુકામાં ૨, ભચાઉ તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૯ અને ગ્રામિણમાં ૩, ગાંધીધામ શહેરમાં ૨૮, માંડવી તાલુકામાં ૧, મુંદરા શહેરમાં ૧, નખત્રાણા તાલુકામાં ૨ મળી કુલ ૪૮ કેસો નોંધાયા છે. સાથોસાથ આજે ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાતા કુલ ૪ કેસ થયા છે.

એકટીવ પોઝીટવ કેસો વાધીને ૧૧૮ થઈ ગયા છે. તો બીજીતરફ ૨૦ દર્દીઓ સ્વસૃથ થયા હતા. આજ સુાધી નોંધાયેલા કુલ કેસોમાં ૧૨૯૨૩ થયા છે. સુખપર રોહા, સુખપર, માધાપર, સુરજપર, સંઘડ, મેઘપર, સામખીયારી, રામપર વેકરા, સાંઘીપુરમ ગામે કોરોનાના કેસો નોંધાયા છે. કોરોનાના કેસોની યાદી સાંજના ભાગે જાહેર થતા જ સોશ્યિલ મિડીયામાં ફરી વળતા આ સમાચારના પગલે લોકોમાં ભયનો માહોલ ફરી વળે છે તો બીજીતરફ બજારમાં ચિક્કાર ગિર્દી જોવા મળતી હોય છે. સામાજીક અંતર જળવાતુ નાથી. માસ્ક પહેરવા મામલે પણ બેદરકારી દાખવાય છે. વળી, મોસમમાં બદલાવ આવતા આજે માવઠુ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડી વાધઘટ જોવા મળી હતી જેાથી લોકોને બિમારીનો ભય વાધુ લાગે છે.