Gujarat

જામનગર શહેરમાં પ્રથમ ડોઝ નું 102 ટકા:જ્યારે બીજા ડોઝનું 86 ટકા વેક્સિનેશન પૂરું થયું

By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022
જામનગર શહેરમાં પ્રથમ ડોઝ નું 102 ટકા:જ્યારે બીજા ડોઝનું 86 ટકા વેક્સિનેશન પૂરું થયું

જામનગર તા. ૧૪, જામનગરમાં ૧૫ થી વધુ ઉંમર ના તમામ નાગરિકો માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં પ્રથમ ડોઝનું ૧૦૨ ટકા તથા બીજા ડોઝનું ૮૬ ટકા વેક્સિનેશન થઈ ચૂક્યુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૧૧૭૮ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. ગઈકાલે જામનગર માં પ્રથમ ડોઝ માં ૫૯ લોકોએ વેક્સિન લીધી હતી. આથી ૫,૧૦,૪૯૭ ના લક્ષ્યાંક સામે ૫,૨૫,૩૯૪ નું પ્રથમ ડોઝનું રસીકરણ થઈ ચૂક્યુ છે. એટલે કે ૧૦૨ ટકા વેક્સિનેશન થયું છે.

તેવી જ રીતે બીજા ડોઝમાં ગઈકાલે ૮૪૯ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું. અને ૫,૧૨,૫૬૬ ના લક્ષ્યાંક સામે ૪,૪૦,૯૦૬નું ગઈકાલ સુધીમાં વેક્સિનેશન થતા કુલ ૮૬ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો હતો.

તેવી જ રીતે પ્રીકોશન ડોઝમાં ગઈકાલે ૧૮૯ લોકો એ રસી ને ડોઝ આપવામાં આવ્યો હતો. આથી કુલ ૧૮,૯૫૫ લોકોનું વેક્સિનશન થયું છે.

૧૫ થી ૧૭ વર્ષની વયજુથના ગઈકાલે ૧૯ બાળકો એ વેક્સિનેશન પ્રથમ ડોઝ લેતા કુલ પ્રથમ ડોઝ ૨૩,૬૧૮ લોકોને આપી દેવામાં આવતા ૬૮ ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.

તેવી જ રીતે ૧૫ થી ૧૭ વર્ષ ની વય જુથ ના બીજા ડોઝ ની ૬૨ બાળકો ને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આમ કુલ ૧૩,૨૪૨ બાળકો ને અત્યાર સુધી માં રસી નો ડોઝ આપી દેવામાં આવતાં ૫૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે.