Get The App

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ દંપતિ ઉપર તેમના જ કપાતર એવા પુત્રએ હુમલો કરી પૈસાની બળજબરીપૂર્વક માંગણી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સિદ્ધાર્થ નગર શેરી નંબર-2 માં રહેતા ભરતભાઈ સામતભાઈ સૌંદરવા નામના 70 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની લક્ષ્મીબેન ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ ઘરમાંથી ધરાર પૈસા આપવાની માંગણી કરવા અંગે પોતાના જ કપાતર એવા પુત્ર રાજેશ ભરતભાઈ સોંદરવા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયા અનુસાર પતિને બે પુત્રો છે, જેમાંનો મોટો પુત્ર આરોપી રાજેશ કે જે કોઈ કામ ધંધો કરતો નથી, અને માતા-પિતા પાસે પૈસાની માંગણી કરે છે. ગઈકાલે પોતાની માતા ઉપર હુમલો કરી દઈ પૈસાની માંગણી કરતાં છોડાવવા માટે પીતા વચ્ચે પડ્યા હતા, જેને પણ માર મારી ધમકી આપતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ત્યાં પોલીસે કપાતર એવા રાજેશ સૌંદરવા સામે આઇપીસી કલમ 115-2, 352, 351-2 મુજબ ગુનો નોધ્યો છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.