Gujarat
ભરૂચમાં ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
By GS Team
20 Nov 20211 min read
This article was originally published on 20 Nov 2021

ભરૂચ: શીખધર્મના સ્થાપક ગુરુનાનકજીની જન્મજયંતીની ભરૂચ શહેર જિલ્લામાં શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના કસક સ્થિત ચાદરસાહેબ ગુરુદ્વારામાં 552મી નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મગુરૂ ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતા અને એકતાનો પ્રચાર કર્યો હતો.ભરૂચ સહિત સમગ્ર દેશમાં ગુરુનાનક સાહેબની 552 મી જન્મ જયંતી નિમિત્તે ગુરૂ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂબાની, પ્રાર્થના અને લંગર સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં. ભરૂચ શહેર જિલ્લાના અન્ય ગુરૂદ્વારાઓમાં પણ ગુરુનાનક જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.




