Get The App

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી 'અશાંત વિસ્તાર' ગણાશે 'નિર્દિષ્ટ વિસ્તાર'

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી 'અશાંત વિસ્તાર' ગણાશે 'નિર્દિષ્ટ વિસ્તાર' 1 - image


Gandhinagar News : ગુજરાતમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે.

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-2026 વિધાનસભામાં રજૂ કરાયો હતો. નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે BNS હેઠળ કાર્યવાહી

આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ:

‘નારાજ વ્યક્તિ’ના વ્યાપમાં વધારો: હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે.

જાહેર વ્યવસ્થાનું રક્ષણ: જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર 'નિર્દિષ્ટ વિસ્તાર' જાહેર કરી શકાશે.

કલેક્ટરની સત્તામાં વધારો: મિલકતના રક્ષણ માટે કલેક્ટર 'સુઓ મોટો' અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે.

નાણાકીય સહાયની સુવિધા: લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે.

તપાસ અને સલાહકાર સમિતિ: નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે.