Get The App

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત

બોરવેલમાંથી છેલ્લા ૧૫ વર્ષથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી, ખેતી-આરોગ્ય પર ગંભીર અસરનો આક્ષેપ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત 1 - image


પાદરા તાલુકાના ઉંમરાયા ગામે ભૂગર્ભ જળમાં ગંભીર ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાયાનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઉમરાયા ગામના ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડોદરાના પ્રાદેશિક અધિકારી સમક્ષ લેખિત અરજી કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત 2 - image

સામાજિક સંસ્થાની આગેવાનીમાં ખેડૂત મુકેશભાઈ પઢીયારે જણાવ્યું છે કે, ઉમરાયા ગામના લુણાવાળી નહેર વિસ્તારમાં આવેલા તેમના રંગનું પાણી નીકળે છે. આ પાણી પીવા કે ખેતી માટે અયોગ્ય હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઝેરી પાણીના ઉપયોગથી ખેતીના પાકો નાશ પામ્યા છે, ઢોરોમાં બીમારી ફેલાઈ છે તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે. ખેતરના બોરવેલમાંથી છેલ્લા લગભગ ૧૫વર્ષો પેટ્રોલ કલરનું લાલ રંગનું પાણી

માત્ર ઉંમરાયા જ નહીં પરંતુ નંદેસરીથી લઈને પાદરા તાલુકા સુધીના અનેક ગામોમાં બોરવેલમાંથી લાલ-લીલું કેમિકલયુક્ત પાણી નીકળતું હોવાનું પણ અરજદારે જણાવ્યું છે. ખેડૂતો છેમિકલ કંપનીઓ દ્વારા થતી બેફામ ઔદ્યોગિક ગંદકીના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યું છે. અગાઉ પણ સંબંધિત વિભાગોને જાણ કરાઈ હોવા છતાં આજદિન સુધી કોઈઅસરકારક તપાસ કે કડક કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

અરજદાર તરફથી જીપીસીબી સમક્ષ ઉમરાયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ, પ્રદૂષણ માટે જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ પ્રદૂષિત પાણીથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ કરવામાં આવી છે. જો યોગ્ય સમયમર્યાદામાં ન્યાય નહીં મળે તો મજબૂરીવશ ઉચ્ચ મંચ પર આ મુદ્દો રજૂ કરશે તેવી ચીમકી આપી છે.