Get The App

છોટા ઉદેપુર: સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું, એક્સપાયરી ડેટ નથી થઈ પૂરી

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
Ration Salt Dumped in Naswadi


Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકામા સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવામાં આવતું મીઠું ગરીબોનો આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગરીબોને મફત મીઠું આપવાની સરકારની યોજના છે, પરંતુ સસ્તા અનાજના સંચાલકો પ્રજાને મફત મીઠું આપવાને બદલે આ પ્રકારે રસ્તા ફેંકી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીઠાની હજુ એક્સપાયરી ડેટ પૂરી પણ થઈ નથી, ત્યારે મોટી માત્રામાં મીઠાનો જથ્થો રસ્તા પર ફેંકી દેવાને લઈને સ્થાનિકોએ યોગ્ય તપાસની માગ કરી છે.

સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું

મળતી માહિતી મુજબ, નસવાડી તાલુકાના આમરોલી ગામ પાસેથી નર્મદા મેઈન કેનાલ પસાર થાય છે, ત્યાં મીઠાનું ટ્રેક્ટર ખાલી કરાયું હોવાનો સ્થાનિકો દાવો છે. રસ્તા પર મીઠું ફેંકી દેવાને લઈને સ્થાનિક યુવાનોએ મીઠાની થેલીઓની ચકાસણી કરતા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાં મફતમાં પૂરું પાડવામાં આવતું મીઠું હોવાનું જણાયું હતું. સ્થાનિક યુવાનોએ મીઠાની થેલીઓ ચેક કરતાં નજીકની સસ્તા અનાજની દુકાન માંથી આ જથ્થો ફેંકવામાં આવ્યો હોવાનો દાવો છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પુરવઠા વિભાગને જાણ કરી હતી અને યોગ્ય તપાસની માગ કરી છે. 

આ પણ વાંચો: અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ગરીબ આદિંવાસી પ્રજાને મફતમાં મીઠું આપવાની યોજના છે. પરંતુ સસ્તા અનાજ સંચાલકો મીઠું સમયસર આપતા નથી અને જથ્થો વધી જાય ત્યારે ફેંકી દે છે. જ્યારે લોકો બજારો માંથી વેચાતું મીઠું ખરીદવા મજબૂર બને છે.