Gujarat

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા કેન્ડલ પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કરાયો

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા કેન્ડલ પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કરાયો

જામનગર તા ૨,

 જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગઇકાલે બુધવારે રાત્રે તબીબોએ મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સરકારી જી.જી. હોસ્પિટલ ના તમામ રેસિડન્ટ તબીબોએ બેનર પોસ્ટર સાથે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં હાજર રહ્યા હતા, અને સંખ્યાબંધ મીણબત્તીઓ પ્રગટાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને પોતાની વિવિધ માંગણીઓને દોરાવી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઝડપથી નિર્ણય લાવવામાં નહીં આવે તો તબીબો દ્વારા આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ અપાઇ છે.