યુનિ.ના પૂર્વ સેનેટ સભ્યએ રાજ્યપાલને પત્ર લખ્યો
ગત વર્ષે સરકારી કોલેજોમાં સીટ ખાલી હોવા છતાં વિદ્યાર્થીને પ્રવેશ મળી
શક્યો ન હતો
ભાવનગર - રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારીયુનિવર્સિટીઓ માટે
જીકાસથી પ્રવેશ આપવાની પ્રક્રિયા અમલમાં મુકી છે આ પ્રક્રિયા ખુબ જ અણઆવડત ભરી
લેન્ધી અને અનામત નીતિવાળા વિદ્યાર્થીઓને નુકસાન કરનારી હોય યુનિ.ને સત્તા આપવા
માંગ કરાઈ છે.
રાજ્ય સરકારે જે હેતુ ભાવના સાથે જીકાસ પધ્ધતિ અમલમાં મૂકી હતી કે રાજ્યનો
વિદ્યાર્થી ગુજરાતની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે, પરંતુ
એક ટકો વિદ્યાર્થી એવા નતી કે જેણે એક કરતા વધારે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે
એપ્લાઈ થયા હોય આ પ્રક્રિયા ગુંચવણભરી અને અણ આવડત ભરી વિદ્યાર્થીઓની સમય શક્તિ
બગડનારી એકંદરે ગુંચવણ ભરી છે. ગયા વર્ષે પણ આ પ્રક્રિયા બે કરતા વધારે મહિના
ચાલેલી તેની મુળ હેતુ માર્યો ગયો હોય તેવી સ્થિતિ થઈ હતી. આ આ ગુંચવણ ભરી
પ્રક્રિયાના કારણે ગયા વર્ષે સરકારી કોલેજમાં કે જ્યાં સામાન્ય ગરીબ વિદ્યાર્થીઓને
કોલેજમાં શીટ ખાલી હોવા છતાં પ્રવેશ મેળવી શક્યા ન હતા પરિણામે સરકારી કોલેજોની
જગ્યા ખાલી રહી હતી. આવા સંજોગોમાં જીકાસની પ્રક્રિયાને વિખેરી નાખી રાજ્યની જે તે
યુનિવર્સિટીઓને સતા અને અધિકાર આપવા પૂર્વસેનેટ કિશોર કંટારીયાએ કુલપતિ સમક્ષ માંગ
કરી છે.


