એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષયો નહી ફાળવાતા મોરચો

.

- સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય અને ગૌણ વિષય તરીકે આપી દીધાઃ અડધો અભ્યાસક્રમ પુર્ણ પણ થઇ ગયો છે
સુરત
અઠવાલાઇન્સ સ્થિત એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષયોના બદલે નહીં જોઇતા વિષયો ફાળવ્યા હોવાના આક્ષેપ સાથે આજે એનએયુઆઇ દ્વારા મોરચો કાઢીને આચાર્યને રજુઆત કરાઇ હતી.
ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રથમ વર્ષ એફ.વાય.બી.એમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના મુખ્ય અને ગૌણ વિષયો પસંદ કરવાના હોય છે. પરંતુ એમટીબી કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓને મનપસંદ વિષય ફાળવવામાં આવ્યા નહીં હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇના પ્રમુખ મયુર વાણેકર અને કાર્યકરોએ કોલેજના આચાર્યને રજુઆત કરી હતી કે કોલેજ દ્વારા પોતાની રીતે વિદ્યાર્થીઓને સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય અને ગૌણ વિષયો આપી દેવાયા છે. હકીકતમાં વિદ્યાર્થીઓને જે વિષયો ફાળવ્યા છે. તેમાં રસ જ નથી. આથી વિદ્યાર્થીઓની મરજી વિરુદ્વ વિષયો ફાળવ્યા હોવાથી બે દિવસમાં વિદ્યાર્થીઓને મનપસંદ વિષયો ફાળવી આપવાની માંગ કરી હતી.
એનએસયુઆઇના કાર્યકરોની માંગણીને લઇને કોલેજ સંચાલકોએ એવી માહિતી આપી હતી કે કોેલેજમાં ઇન્ટરનલ પરીક્ષા લેવાઇ ગઇ છે. કોલેજમાં અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે. અને ૧૮ મી જાન્યુઆરીથી તો વિદ્યાર્થીની પરીક્ષા છે. આથી અડધો ઉપરનો અભ્યાસક્રમ તો પૂર્ણ થઇ ગયો છે.




