Gujarat

ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા ના પ્રયાસ માટે મ્યુનિસિપલ કમિશનર ની અધ્યક્ષતા માં 16 ઉચ્ચ અધિકારીની સમિતિની રચના કરવા સૂચના

By GS Team
2 Dec 20212 mins read
This article was originally published on 2 Dec 2021
ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા ના પ્રયાસ માટે મ્યુનિસિપલ કમિશનર ની અધ્યક્ષતા માં 16 ઉચ્ચ અધિકારીની સમિતિની રચના કરવા સૂચના

તા. 02 ડિસેમ્બર

ગુજરાત સરકારે ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા અંગે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને વિવિધ ૨૩ જેટલી યોજનાનો લાભ તેઓને મળે તે માટે ૧૬ સભ્યની કમિટી બનાવવા સુચના આપી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ આરએચ વસાવાએ ગુજરાતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓ ને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ ૨૩ જેટલી યોજનાનો લાભ ઘર વિહોણા લોકોને મળે તે માટે જરૂરી આયોજન કરવા સુચના આપી છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા આ અંગે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હાલમાં અમલમાં છે જે અન્વયે ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાન ઘટક અમલમાં છે જે અંગે સિટી મિશન મેનેજમેન્ટ યુનિટની પણ રચના કરવામાં આવી છે.

શહેરી વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં કે પછી બગીચા બસ સ્ટેશન ધાર્મિક સ્થાનો પર રાતવાસો કરી ને જીવન ગુજારતા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવા અંગે શું ઉચ્ચ અધિકારીની સમિતિ બનાવવા ની રહેશે.

ઘર વિહોણા લોકોને માટે આશરે ગૃહો ના પ્રોજેક્ટ ની અમલીકરણ સમિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના અધ્યક્ષ પદે જિલ્લાના 16 ઉચ્ચ અધિકારીની એક સમિતિ બનાવવા પણ જણાવ્યું છે જેમાં જિલ્લા કલેકટર પોલીસ કમિશનર આરોગ્ય વિભાગના અધિકારી પુરવઠા અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા સરકારી શ્રમ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સહિતના વિવિધ વિભાગો ના ખાતા અધિકારી નો સમાવેશ કરવાનો રહેશે.

પરિપત્ર માં એમ પણ જણાવ્યું છે કે કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ 23 યોજનાનો લાભ તેઓને મળે એ માટે પણ કોર્પોરેશનમાં ઝોન કક્ષાએ ટીમો બનાવી નિયમિત રીતે night drive ચલાવી ઘર વિહોણા લોકોને યોજનાઓનો લાભ મળે તેમ જ આશ્રય ગૃહમાં રાતવાસો કરી શકે એ માટેની કાર્યવાહી પણ કરવાની રહેશે.