વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનની બહાર ગઈ રાત્રે પુત્રની સામે પિતાની હત્યાનો કમ કમાટી ભર્યો બનાવ બનતા પોલીસે ફરાર થઈ ગયેલા સાળા-બનેવી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોરવા ગામમાં રહેતા અમીજી ઉર્ફે અબ્દુલભાઈ ઘાંચી (45 વર્ષ) ના પુત્ર આરીફ ઘાંચીએ પોલીસને કહ્યું છે કે, ગઈ રાત્રે દસેક વાગે મારા પિતા મારી પાસે આવ્યા હતા અને સોહિલ રાણાએ કોઈ કારણસર બોલાચાલી કરી બે લાફા માર્યા હોવાની વાત કરી હતી. જેથી મેં મારા પિતાને ઘેર જવા માટે કહ્યું હતું.
પરંતુ મારા પિતા ઘેર જવાને બદલે ગોરવા પોલીસ સ્ટેશન તરફ ગયા હતા. જેથી હું તમને પાછળ આવ્યો હતો. આ વખતે ગોરવા ગામના પ્રવેશ દ્વાર પાસે અને પોલીસ સ્ટેશનની બહાર સોહીલ અને તેનો બનેવી સંદીપ વાઘેલાએ મારા પિતાને રોક્યા હતા. સંદીપે કોઈ સાધન વડે મારા પિતાના માથામાં બે થી ત્રણ ફટકા મારતા તેઓ ઢળી પડ્યા હતા.
આરીફે કહ્યું છે કે, મેં મારા પિતાને પંપિંગ કર્યું હતું પરંતુ તેમની બોડી કોઈ રિસ્પોન્સ કરતી ન હતી. 108 ને પણ બોલાવી હતી. પરંતુ તે દરમિયાન મારો મિત્ર આવી જતા અમે પિતાને દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી ગોરવા પોલીસે સોહીલ રાણા (નાગજી બાપુના પીઠા પાસે, ગોરવા) અને સંદીપ રાણા (મધુનગર સોસાયટી, શાહજહાં ગ્રાઉન્ડ સામે,ગોરવા) સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.









