Gujarat

દમણ ભારતીય તટરક્ષક દળનું સફળ રેસ્ક્યુ ઓપરેશન : નવસારીના દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો આબાદ બચાવ

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
દમણ નજીક દરિયામાં ડૂબી રહેલી બોટમાંથી 9 માછીમારોને ભારતીય તટરક્ષક દળે બચાવ્યા છે. મંગળવારે દમણ કોસ્ટ ગાર્ડને બોટ ડૂબી રહી હોવાની જાણ થતાં, ચેતક હેલિકોપ્ટર મોકલી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. તમામ 9 માછીમારોને સુરક્ષિત બહાર કઢાયા, જેમાં 3ને સામાન્ય ઈજા થતાં સારવાર અપાઈ. તટરક્ષક દળની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણ ભારતીય તટરક્ષક દળનું સફળ રેસ્ક્યુ ઓપરેશન : નવસારીના દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો આબાદ બચાવ

Navsari News : નવસારીના ધોલાઈ બંદરથી માછીમારી કરવા ગયેલી જય માલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારતીય તટરક્ષક વાયુ સ્ટેશન, દમણની ટીમ દ્વારા સમુદ્રમાં એક મોટી દુર્ઘટના ટાળીને ડૂબી રહેલી માછીમારી બોટમાંથી 09 માછીમારોને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તટરક્ષક દળની ત્વરિત અને સુસંકલિત કામગીરીના પરિણામે તમામ માછીમારોના જીવ બચી ગયા છે.
આજે મંગળવારે દમણ કોસ્ટ ગાડે એર સ્ટેશનને એક ભારતીય ફિશિંગ બોટ દરિયામાં ડૂબી રહી હોવાની અને તેમાં 9 માછીમારો ફસાયા હોવાની તાકીદની માહિતી મળી હતી.
માહિતી મળતાં જ વિલંબ કયા વગર તટરક્ષક દળે ચેતક હેલિકોપ્ટરને ઘટનાસ્થળે રવાના ક્યું હતું. હેલિકોપ્ટરે નિધારિત સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ ક્યું અને તમામ 9 માછીમારોને સલામત રીતે એરલિફ્ટ કરી લીધા.
બચાવ કામગીરી દરમિયાન 3 માછીમારોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું. તમામ માછીમારોને દમણ એર સ્ટેશન લાવવામાં આવ્યા હતા, કૃષ્ણપુર ગામના ઈજાગ્રસ્ત માછીમારોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક દળની આ ત્વરિત કામગીરીએ સમુદ્રમાં માછીમારો અને નાવિકોની સુરક્ષા તથા જીવન રક્ષા પ્રત્યની તેમની અતુટ પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી છે.