Get The App

જામનગરના જુની અદાવતના મનદુખના કારણે બે પાડોશીઓ વચ્ચે તકરાર : પિતા-પુત્ર પર હુમલો, પાડોશી પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના જુની અદાવતના મનદુખના કારણે બે પાડોશીઓ વચ્ચે તકરાર : પિતા-પુત્ર પર હુમલો, પાડોશી પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા સથવારા જ્ઞાતિના બે પાડોશીઓ વચ્ચે જૂનું મનદુઃખ રાખીને હુમલાનો બનાવ બન્યો હતો. ત્યાં રહેતા પિતા-પુત્ર ઉપર પાડોશી પિતા પુત્રએ હુમલો કરી દિધાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગર શહેરમાં જૂની અદાવતને કારણે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસમાં જાહેર થયા અનુસાર જૂના ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં ભાનુ પેટ્રોલપંપ સામેના ઢાળીયા પાસે બન્યો હતો.

ફરીયાદી મિલનભાઈ રમેશભાઈ નકુમ (ઉ.વ. 35વર્ષ, રહે-ગુલાબનગર, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ભરત મનશુખભાઈ પરમાર તથા મનશુખભાઈ પરમારે જૂની અદાવતના કારણે ગાળો આપી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન આરોપી ભરત પરમારે ફરીયાદીનો કાઠલો પકડી માથામાં ઇજા પહોંચાડી હતી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને આરોપીઓએ મળીને આ ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.